ગુજરાત

gujarat

By

Published : Aug 25, 2022, 11:22 AM IST

ETV Bharat / city

નરેશ પટેલે ઝૂકાવ્યું ભવનાથ મહાદેવ સામે શિશ, રાજકીય ચર્ચાઓએ પકડ્યું જોર

ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે ગિરનારમાં ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે જ તેઓ ફરી જૂનાગઢ આવતાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. patidar leader naresh patel, gujarat politics latest news

નરેશ પટેલે ઝૂકાવ્યું ભવનાથ મહાદેવ સામે શિશ, રાજકીય ચર્ચાઓએ પકડ્યું જોર આવતાં રાજકીય ચર્ચાઓએ પકડ્યું જોર
નરેશ પટેલે ઝૂકાવ્યું ભવનાથ મહાદેવ સામે શિશ, રાજકીય ચર્ચાઓએ પકડ્યું જોર

જૂનાગઢપાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન એવા નરેશ પટેલ બુધવારે જૂનાગઢની મુલાકાતે (naresh patel junagadh visit august 2022) આવ્યા હતા. અહીં તેમણે મિત્રો સાથે ગિરનારમાં આવેલા ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. નરેશ પટેલની જૂનાગઢ મુલાકાત ધાર્મિક હોવાનું (patidar leader naresh patel) મનાય રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં સતત છવાઈ રહેલા નરેશ પટેલના જૂનાગઢ આગમનને લઈને પણ રાજકીય ચર્ચાઓ જોર પકડશે તેવું જાણવા મળી રહ્યું છે.

નરેશ પટેલના રાજકીય પદાર્પણ પર અલ્પવિરામ

નરેશ પટેલે કર્યા ભવનાથ મહાદેવના દર્શનખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ (naresh patel junagadh visit august 2022) તેમના મિત્રો સાથે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. નરેશ પટેલ (patidar leader naresh patel) સામાજિક સંસ્થાની સાથે રાજકીય ચહેરો પણ ધરાવે છે. ત્યારે તેમની જૂનાગઢ મુલાકાતને લઈને ફરી એક વખત નવી રાજકીય ચર્ચાઓ શરૂ થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોનરેશ પટેલના રાજકીય પ્રવેશના નિર્ણય અંગે PAASએ કહ્યું- જે થયું એ...

નરેશ પટેલના રાજકીય પદાર્પણ પર અલ્પવિરામઆજથી 2 મહિના પહેલા નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે. તેને લઈને માધ્યમમાં સતત તેમને લઈને સમાચારો ગુંજી રહ્યા હતા, પરંતુ બે મહિના પહેલા નરેશ પટેલે સક્રિય રાજકારણમાં આવવાની શક્યતા પર હાલ પૂરતું અલ્પવિરામ મૂકી દીધું હતું. ત્યારબાદ નરેશ પટેલ મોટા ભાગે માધ્યમોના અહેવાલોમાં જોવા મળતા નહતા. ત્યારે હવે શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં નરેશ પટેલ ફરી એક વખત જુનાગઢ આવ્યા હતા. તેમની આ મુલાકાત ભવનાથ મહાદેવના દર્શનની હતી પરંતુ તેમની સાથે તેમના કેટલાક અંગત મિત્રો પણ હતા.

આ પણ વાંચોજગન્નાથ મંદિરે દર્શન કરી નરેશ પટેલે ETV Bharat ના માધ્યમથી આપ્યો ખાસ સંદેશ

નરેશ પટેલે માત્ર દર્શન પૂરતી મુલાકાત હોવાનું જણાવ્યું તેમની આ મુલાકાત બાદ ફરી એક વખત નરેશ પટેલ અને આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને ફરી એક વખત રાજકીય ચર્ચાઓ જોર પકડશે તેવું લાગી રહ્યું છે. નરેશ પટેલે ETV Bharata સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની આ મુલાકાત માત્ર ભવનાથ મહાદેવના દર્શન પૂરતી મર્યાદિત હતી, પરંતુ નરેશ પટેલનું આગમન ચોક્કસપણે આગામી દિવસોમાં રાજકીય ચર્ચાઓને જન્મ આપનારું પણ બની રહેશે તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details