- NCPના નેતા જૂનાગઢ ખાતે આમરણાંત ઉપવાસની શરૂઆત કરશે
- સમગ્ર રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓ આગામી 10મી મે સુધી વધારવા કરી તાકીદ
- 10 તારીખ બાદ આરોગ્ય સુવિધામાં વધારો નહીં થાય તો આમરણાંત ઉપવાસની ઉચ્ચારી ચિમકી
જૂનાગઢ: NCPના મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે કોરોના સંક્રમણને કારણે સતત કથળતી તેમજ સરકારી હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી સેવાઓની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર સરકારી હોસ્પિટલોમાં તાકીદે ઓક્સિજનથી લઈને દર્દીને દાખલ કરવા સુધીની તમામ વ્યવસ્થાઓ આગામી 10મી તારીખ સુધીમાં તાકિદે ઊભી કરે તેવી માંગ કરી છે. જો સરકાર આગામી 10 તારીખ સુધીમાં આરોગ્યલક્ષી સેવાઓ રાજ્યના નાગરિકો માટે ઊભી નહીં કરે તો તેઓ, જૂનાગઢ ખાતે આમરણાંત ઉપવાસની શરૂઆત કરશે. જેની, જવાબદારી રાજ્યની સરકારી અને મુખ્યપ્રધાન રૂપાણીની રહેશે તેવી ચીમકી રેશ્મા પટેલે ઉચ્ચારી છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો હજુ પણ પૂરતા પ્રમાણમાં નહિ: જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી