ગુજરાત

gujarat

By

Published : Jul 6, 2022, 2:09 PM IST

ETV Bharat / city

Moksha Kalyan Ladu Mahotsav : ભગવાન નેમિનાથને અર્પણ થયો મોક્ષ કલ્યાણ લાડુ, શું રહી પ્રક્રિયા જૂઓ

પાછલા બે દિવસથી ભવનાથની તળેટીમાં (Bhavnath Taleti ) આવેલા નિર્મલ ધ્યાન કેન્દ્રમાં (Nirmal Dhyan Kendra Junagadh) 55મો મોક્ષ કલ્યાણ નિર્વાણ લાડુ મહોત્સવ (Moksha Kalyan Ladu Mahotsav) ચાલી રહ્યો હતો. જૂનાગઢના ગિરનારમાં આવેલા ભગવાન નેમિનાથના (Bhagvan Neminath ) ચરણોમાં મોક્ષ કલ્યાણ લાડુને અર્પણ કરીને મહોત્સવને પૂર્ણ કરાયો હતો.

Moksha Kalyan Ladu Mahotsav : ભગવાન નેમિનાથને અર્પણ થયો મોક્ષ કલ્યાણ લાડુ, શું રહી પ્રક્રિયા જૂઓ
Moksha Kalyan Ladu Mahotsav : ભગવાન નેમિનાથને અર્પણ થયો મોક્ષ કલ્યાણ લાડુ, શું રહી પ્રક્રિયા જૂઓ

જૂનાગઢ- પાછલા બે દિવસથી ભવનાથની તળેટીમાં (Bhavnath Taleti ) આવેલા નિર્મળ ધ્યાન કેન્દ્રમાં (Nirmal Dhyan Kendra Junagadh) ભગવાન નેમિનાથને (Bhagvan Neminath ) સમર્પિત એવા નિર્વાણ લાડુ મહોત્સવનું (Moksha Kalyan Ladu Mahotsav) આયોજન થયું હતું. આ મહોત્સવમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી જૈન ધર્મના શ્રાવક અને શ્રાવિકાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈને નિર્વાણ લાડુ મહોત્સવ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવ્યો હતો. ગઈકાલે ધ્યાન કેન્દ્રમાં ધ્વજારોહણ થયા બાદ આજે સવારના જૈન ધર્મના શ્રાવક અને શ્રાવિકાઓએ નિર્વાણ લાડુ મહોત્સવ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં ભાગ લીધો હતો.

દેશભરમાંથી જૈન ધર્મના શ્રાવક અને શ્રાવિકાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો

આ પણ વાંચોઃ Moksha Kalyan Ladu Mahotsav : મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવમાં શ્રાવક-શ્રાવિકોનો અદ્ભુત રંગ

રંગેચંગે ઉજવાયો મહોત્સવ-ભગવાન નેમિનાથમાં (Bhagvan Neminath )આસ્થાવાન જૈનોએ ખૂબ જ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે 55 માં નિર્વાણ લાડુ મહોત્સવને (Moksha Kalyan Ladu Mahotsav) ખૂબ જ રંગેચંગે ઉજવીને પરિપૂર્ણ કર્યો હતો. નિર્વાણ લાડુ મહોત્સવમાં મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી આવેલા જઈને ધર્મના શ્રાવક અને શ્રાવિકાઓ જોડાયા હતાં. દિગંબર જૈન ધર્મમાં મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવનું (Moksha Kalyan Ladu Mahotsav in Digambar Jainism ) ખૂબ મહત્વ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભવનાથમાં ગણપતિદાદાને 551 કિલોનો બુંદીનો લાડુ ધરાવાયો, ભક્તોમાં પ્રસાદરૂપે વિતરિત થયો

108 લાડુનો અભિષેક -ભવનાથમાં (Bhavnath Taleti ) આયોજિત મોક્ષ કલ્યાણ નિર્વાણ લાડુ (Moksha Kalyan Ladu Mahotsav) આચાર્યની 55 મી દીક્ષાંત જયંતિ પ્રસંગે આયોજન થતું આવે છે. આજે આયોજિત થયેલા મોક્ષ કલ્યાણ લાડુ મહોત્સવની શોભા યાત્રામાં 108 જેટલા વિવિધ મંત્રોચ્ચારથી લાડુનો અભિષેક કરાયો હતો. ત્યારબાદ આ લાડુ મહોત્સવ સ્વભાવ યાત્રા સમગ્ર ભવનાથ પરિક્ષેત્રમાં પરિભ્રમણ કરીને બોરદેવી માર્ગ પર ગિરનાર જંગલમાં આવેલા નેમિનાથ દાદાની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. અહીં નેમિનાથ દાદાનું (Bhagvan Neminath )જૈન ધર્મની પરંપરા મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોક્ષ નિર્વાણ લાડુ અર્પણ કરીને શોભાયાત્રાને પરિપૂર્ણ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details