ગુજરાત

gujarat

ETV Bharat / city

Junagadh Astronomer on War: રશિયા યુક્રેનનું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે, જૂનાગઢના ખગોળશાસ્ત્રીની આગાહી

જૂનાગઢમાં રહેતા અમરેલી જિલ્લાના લિલિયાના ખગોળવિદે (Junagadh Astronomer on War) રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) અંગે ભવિષ્યવાણી વ્યક્ત (Prophecy on Ukraine Russia war) કરી છે. તેમના મતે આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે.

By

Published : Mar 5, 2022, 2:19 PM IST

Updated : Mar 5, 2022, 2:31 PM IST

Junagadh Astronomer on War: રશિયા યુક્રેનનું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે, જૂનાગઢના ખગોળશાસ્ત્રીની આગાહી
Junagadh Astronomer on War: રશિયા યુક્રેનનું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે, જૂનાગઢના ખગોળશાસ્ત્રીની આગાહી

જૂનાગઢઃ અમરેલી જિલ્લાના લિલિયાના ખગોળવિદ જયપ્રક્ષ માઢકે (Junagadh Astronomer on War)રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) અંગે ભવિષ્યવાણી વ્યક્ત (Prophecy on Ukraine Russia war) કરી છે. તે મુજબ આ યુદ્ધ વધુ ઉગ્ર બનશે અને તેની આગ વિશ્વના અનેક દેશોમાં લગતી જોવા મળશે. તેમણે ગ્રહોની ચાલ અને તેની રાશિના આધારે ભવિષ્યવાણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ (Russia Ukraine War) વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે. તેમની શક્યતા મુજબ, યુક્રેનના ઘટનાક્રમો અને મકર રાશિમાં હાલ વિનાશના ગ્રહો શનિ-પ્લૂટો અને યુદ્ધના ગ્રહ મંગળની એક સાથે ઉપસ્થિતિના ગ્રહ સંજોગો તથા કર્મસંજોગો વિશ્વને અણુયુદ્ધ ભણી લઈ જશે એવું લાગે છે.

ગ્રહોની ચાલ અને તેની રાશિના આધારે વ્યક્ત કરવામાં આવી ભવિષ્યવાણી

ગ્રહોની ચાલ અને તેની રાશિના આધારે વ્યક્ત કરવામાં આવી ભવિષ્યવાણી

ખગોળવિદે જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરી 2022એ બપોરે 3.48 વાગ્યે મંગળ મકર રાશિમાં આવશે. 27 ફેબ્રુઆરીએ ચંદ્ર તથા શુક્ર પણ મકરમાં આવશે અને બુધ, શનિ તથા પ્લૂટો મકરમાં છે જ. તેથી 27 ફેબ્રુઆરીએ મકર રાશિમાં ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર, શનિ અને પ્લૂટો મળીને 6 ગ્રહો ભેગા થશે. આથી (Russia Ukraine War) યુક્રેન રશિયાને લગતી પરિસ્થિતિ વધુ વિસ્ફોટક (Russia Ukraine War) બની શકે છે. તેની આગ બીજે પણ પ્રસરી શકે કે, આ પરિસ્થિતિ નવો વળાંક લેશે તેવી શક્યતાઓ જયપ્રકાશ માઢકે વ્યક્ત કરી છે. યુક્રેનના ઘટનાક્રમો અને મકર રાશિમાં અત્યારે વિનાશના ગ્રહો શનિ-પ્લૂટો અને યુદ્ધના (Junagadh Astronomer on War) ગ્રહ મંગળની એકસાથે ઉપસ્થિતિના ગ્રહ સંજોગો તથા કર્મસંજોગો વિશ્વને અણુયુદ્ધ ભણી લઈ જશે એવું લાગે છે.

આ પણ વાંચો-Russia Ukraine War: યુક્રેનમાંથી પાટણના 12 વિદ્યાર્થીઓ હેમખેમ પરત આવ્યા

વ્યક્તિનું કર્મ વ્યક્તિએ જાતિનું કર્મ જાતિએ અને રાષ્ટ્રનું કર્મ રાષ્ટ્રને ભોગવવું પડે છેઃ ખગોળવિદ્

ખગોળવિદે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 1945માં અમેરિકાએ જાપાનના 2 શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંક્યો હતો, જેમાં અસંખ્ય લોકોના જીવ ગયા હતા. આથી એ પણ શક્ય છે કે, અમેરિકા સાથે પણ ભવિષ્યમાં આવું બની શકે છે અને અમેરિકાના કોઈ 2 સ્થળ પર અણુહુમલો થાય. આ હુમલો (Russia Ukraine War) ઈરાન કે, તેનો કોઈ સાથી દેશ જેમ કે રશિયા, ઉત્તર કોરિયા કે ચીન કરે તેવું દેખાય છે. સંજોગો એવા પણ આકાર લઈ રહ્યા છે કે, નાટો અને અમેરિકા રશિયાના પગલાંઓની પ્રતિક્રિયાના ભાગરૂપે રશિયા પર કે તેના કોઈ સાથી દેશ ઉપર પણ અણુ શસ્ત્રનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો-Russia Ukraine War :યુક્રેનથી પાલનપુરનો યુવક વતન પહોંચતા ઢોલ અને નગારાથી સ્વાગત કરાયું

રશિયાની પેટર્ન મુજબ ભવિષ્યમાં આપણે PoK પરત લેવાના પગલાં લેવા જોઈએઃ ખગોળવિદ્

ખગોળવિદે ઉમેર્યું હતું કે, ભારતની રાશિ મકર હોવાથી અને ભારતે પણ સરહદ ઉપર ચીન અને પાકિસ્તાનથી સંભાળવા જેવો સમય હજી ચાલી રહ્યો છે. ત્યારે ભવિષ્યમાં રશિની પેટર્ન મૂજબ જ ભારત પી.ઓ.કે.પરત મેળવશે તથા પાકિસ્તાનથી અસંતુષ્ટ એવા પાકિસ્તાનના કેટલાક રાજ્યો સ્વતંત્ર થાય તો નવાઈ નહીં લાગે. કૂટનીતિની દ્રષ્ટીએ અત્યારે આપણે રશિયા સાથેના સંબંધો બગડે નહીં એ જોવું પડશે. આમ, તો રશિયાની પેટર્ન મુજબ, ભવિષ્યમાં આપણે PoK પરત લેવાના પગલા લઈએ. ત્યારે રશિયા આપણો (Russia Ukraine War) વિરોધ કરી નહીં શકે અને અમેરિકા તથા નાટો પણ પાકિસ્તાનને સારી રીતે ઓળખતા હોવાથી અને ભારત પાકિસ્તાનના ઈતિહાસથી પરિચિત હોવાથી યુક્રેનનો જેવો પક્ષ લીધો એમ પાકિસ્તાનનો પક્ષ લેશે નહીં જેમ પુતિન અખંડ રશિયાના સપનાની જેમ અખંડ ભારતના સપનાને સાકાર કરવાનો સમય પણ હવે સમીપ આવી ચૂક્યો છે. જોકે, ચીન એક મોટી બાધા છે અને રશિયાની પાંખમાં ભરાયેલા ચીનથી સાવધ રહેવાનો સમય હજી પૂરો થયો નથી.

ગરુડી ગીતામાં જે વર્ણન થયું છે તે મુજબ સમગ્ર પૃથ્વી પર પણ ધમાલ થતી રહેશે

ગરુડી ગીતા નામના ગોપ્ય ગ્રંથમાં જે વર્ણન કરવામાં આવ્યું છે. તે મૂજબ વિક્રમ સંવત 2101 (ઈ.સ. 2045) સુધી પૃથ્વી પર ધમાચકડી ચાલશે, જેમાં વિશ્વમાં કુદરતી બનાવો, રોગચાળો, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેનો આંતરકલહ અને અણબનાવ, રાજા -રાજા વચ્ચે ના અણબનાવ, ખંડ-ખંડ વચ્ચેની યાદવસ્થલી તથા વિશ્વવિગ્રહ જેવા બનાવો બનવાની શક્યતા છે. તે પછી ઈતિહાસ પ્રસિધ્ધ આર્યાવર્ત દેશના પુરાતનકાલિન ૠષિમુનિ, સંત- મહંત,યોગી તપસ્વી મહાત્માઓએ વર્ષોના સ્વાનુભવના પરિણામે જે ધાર્મિક સામાજિક પારમાર્થિક રાજકીય અને રાષ્ટ્રીય સંસ્થાઓનું બંધારણ સહિત સંસ્થાપન કર્યુ છે. તેને અખિલ વિશ્વ અપનાવશે અને અનુસરશે અને શ્રી સનાતન વૈદિક શ્રૌત સ્માર્તનો ધ્વંસ થતો જાય છે, તે ફરી સંસ્થાપિત અને દઢીભૂત થશે. ભારતવર્ષનો જૂનો વેદધર્મ યુરોપખંડમાં પ્રચાર પામશે અને સંસ્કૃત ભાષા પ્રત્યે યુરોપ તથા અમેરિકા ખંડની પ્રીતિ વધશે અને વિક્રમ સંવત 2000 એટલેકે ઈ.સ. 1944થી વિક્રમ સંવત 2101 (ઈ.સ.2045)સુધીનાં 101 વર્ષ પછી સુવર્ણ યુગ આવશે અને સોનાનો સૂરજ ઊગશે.

અત્યારે રશિયા પોતાનું મહારાજ્ય બનાવવા પ્રયત્નશીલ છેઃ ખગોળવિદ્

શ્રી નાડી નંદી નામના ગ્રંથમા લખ્યા મૂજબ ભવિષ્યમાં રશિયા સહિત ભારત મહાસત્તા બનશે. શ્રી નાડી નંદી નામના ગ્રંથ મા લખ્યા મૂજબ ભવિષ્યમાં (1) રૂશિયા (રશિયા) દેશનું મહારાજ્ય બનશે. તેમ જ પીત્તજપ આણ દેશનું મહારાજ્ય એટલે કે, પીળા ચીન દેશ સાથે જાપાન દેશનું મહારાજ્ય બનશે. આપત્યન્ત દેશ (અફઘાનિસ્તાન) અબ્રખ સ્થાન (અરબસ્તાન) દેશ, પારુષ દેશ (ઈરાન) અને તર્કસ્થાન (તુર્કીસ્તાન) દેશનું સંયુક્ત મહારાજ્ય બનવાની સાથે વિશાળ ભારત રાષ્ટ્ર અને ઈપ્સિત જાતિનું મિશ્ર મહારાજ્ય એટલે કે, ઈજિપ્શિયન જાતિનું મિસરનું મહારાજ્ય મળીને કુલ 5 મહારાજ્યો ભવિષ્યમાં અસ્તિત્વમાં આવતા જોવા મળશે. અત્યારે રશિયા પોતાનું મહારાજ્ય બનાવવા પ્રયત્નશીલ બનેલ છે અને ચીન પણ જાપાન ઉપર પોતાની આણ પ્રવર્તમાન કરવા ધમપછાડા તો કરે જ છે .તો ભારત પણ પી.ઓ.કે.પરત લેવા પોતાનો ઈરાદો સંસદમા જાહેર કરી ચૂક્યુ છે.

Last Updated : Mar 5, 2022, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details