ગાંધીનગર: પવિત્ર શ્રાવણ મહિનામાં સોમનાથમાં (First Jyotirlinga Somnath) કોઈ યજ્ઞ કરવા માગતા હોવ તો સારા વાવડ સામે આવ્યા છે. ટ્રસ્ટ તરફથી માત્ર 25 રૂપિયામાં મહામૃત્યુંજય (Yagna in First Jyotirlinga Somnath) યજ્ઞની સેવા પ્રાપ્ય કરી દેવામાં આવી છે. ધાર્મિક કોઈ પણ યજ્ઞ (Mahamrutyunjay Yagna At Somnath) કરવો હોય તો ઘણો ખર્ચો થાય છે. પણ સોમનાથના આંગણે હવે યજ્ઞ માટેના ખર્ચની રકમ ઘટાડી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Kejriwal Gujarat Visits : કેજરીવાલની ત્રીજી ગિફ્ટ, મહિલાઓને આપી શકે છે ગેરંટી
ખાસ યજ્ઞશાળાઃ જ્યારે ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટની યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકે છે. સોમનાથ તીર્થના પૂજારીઓ યજ્ઞમાં યજમાનને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જોડે છે. યજમાનને તલ વગેરે આહૂતિ દ્રવ્ય પણ સોમનાથ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. સોમનાથ મંદિરની સામે આવેલી યજ્ઞશાળામાં ભક્તો મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપે છે. શાસ્ત્રો અનુસાર મહાદેવના સાનિધ્યમાં થઈ રહેલો આ મહામૃત્યુંજય યજ્ઞ ભક્તોને તેઓ રાજવી યજ્ઞ કરી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે.