જૂનાગઢ શહેરમાં 'ક્યાર' વાવાઝોડાની અસર દેખાવવાની શરૂ થઇ ચૂકી છે. 'ક્યાર'ના કારણે ગીર તળેટીના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો અને ત્યારબાદ વરસાદ શરૂ થઇ ગયો હતો. વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ રહેલી છે.
'ક્યાર'ની અસર જૂનાગઢમાં, વરસ્યો કમોસમી વરસાદ - ક્યારની અસર
જૂનાગઢ: સમગ્ર સૌરાષ્ટ્રમાં 'ક્યાર'નો ખતરો મંડરાયેલો છે. તેવામાં મંગળવારે જૂનાગઢ શહેરમાં 'ક્યાર' એ દેખાડો દેવાનો શરૂ કર્યો હતો. શહેરમાં બે દિવસીય વાદળછાયા વાતાવરણ બાદ મંગળવારે અચાનક કમોસમી વરસાદ શરૂ થયો હતો. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
!['ક્યાર'ની અસર જૂનાગઢમાં, વરસ્યો કમોસમી વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4901392-thumbnail-3x2-m.jpg)
કમોસમી વરસાદ
'ક્યાર'ની અસર જૂનાગઢમાં, વરસ્યો કમોસમી વરસાદ
જૂનાગઢમાં છેલ્લા બે દિવસના વાદળછાયા વાતાવરણ બાદ મંગળવારે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોનો તૈયાર મગફળીના પાકને નુકશાન થવાની આશંકા સેવાઇ રહી છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, મગફળીને તૈયાર કરવામાં ખેડૂતો દિવસ-રાત એક કરીને 5 મહિના મહેનત કરતા હોય છે. તેવામાં કમોસમી વરસાદ થવાથી જગતના તાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે.