ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં 35 ફૂટના રાવણનું થશે દહન, તૈયારીઓને અપાયો આખરી ઓપ

જૂનાગઢમાં આજે વિજયાદશમીના દિવસે સાંજે રાવણ દહન (ravan dahan) કરવામાં આવશે. જોકે, અહીં રાવણ દહન માટેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં (ravan dahan preparation) આવી છે.

By

Published : Oct 5, 2022, 9:33 AM IST

જૂનાગઢમાં 35 ફૂટના રાવણનું થશે દહન, તૈયારીઓને અપાયો આખરી ઓપ
જૂનાગઢમાં 35 ફૂટના રાવણનું થશે દહન, તૈયારીઓને અપાયો આખરી ઓપ

જૂનાગઢઆજે (બુધવારે) અસત્ય પર સત્યના વિજયનો તહેવાર વિજયાદશમી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં રાવણ દહનને (ravan dahan) લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે સાંજે મયારામ દાસ બાપુના આશ્રમમાં (Mayaram Das Bapu Ashram) વિજયા દશમીના તહેવાર નિમિત્તે રાવણ દહન (ravan dahan) કરીને દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે જેની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં કાર્યકરો વ્યસ્ત જોવા મળી રહ્યા છે

હરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ કરી તૈયારી

કોઈને પણ નહીં પડે અગવડ રાવણ દહનની તૈયારી (Ravan Dahan Preparation) હરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટના (Hari Om Charitable Trust) કાર્યકર્તાઓ કરી રહ્યા છે. રાવણના પૂતળાના સર્જનની સાથે તમામ પ્રકારની પ્રાથમિક તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે કાર્યકરો મહેનત કરી રહ્યા છે. તો હવે સાંજના સમયે રાવણ દહનના કાર્યક્રમને (dussehra ravan dahan) લઈને લોકોનો ઉત્સાહ જોતા તમામ તૈયારીઓ તેમ જ કોઈ પણ પ્રકારની અગવડ રાવણ દહનને (dussehra ravan dahan) જોવા માટે આવનારા લોકોને ન પડે તેની ખાસ તકેદારી રાખીને પણ તૈયારીઓ અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે.

કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટેની સંપૂર્ણ તૈયારી

35 ફૂટ ઊંચું રાવણનું પૂતળું કરાયું તૈયારહરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ (Hari Om Charitable Trust) દ્વારા 35 ફૂટ ઊંચા રાવણના પુતળાને તૈયાર કરાયું છે. શણના કોથળા વાસ અને સૂકું ઘાસનો ઉપયોગ કરીને આ પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે, જે આજ સાંજ સુધીમાં પરિપૂર્ણ થશે. આ પૂતળાની અંદર ફટાકડા પણ મૂકવામાં આવ્યા છે. જેથી રાવણ દહનનો (dussehra ravan dahan) આ કાર્યક્રમ વધુ દિવ્યમાન બને તે માટેની તૈયારીઓ પણ બિલકુલ પૂર્ણ કરી દેવામાં આવી છે.

પદયાત્રાનું કરાશે આયોજન રાવણ દહન પહેલા ગિરનાર દરવાજાથી ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી, સુગ્રીવજી અને વિભીષણજીની પદયાત્રા પણ યોજાશે. રાવણ દહન સ્થળ (dussehra ravan dahan) પર ભગવાન શ્રીરામ અને વિભીષણ વચ્ચે સંવાદ ધાર્મિક રીતે યોજાશે અને ત્યારબાદ રાવણના 35 ફૂટ ઊંચા પૂતળાને દહન કરીને વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details