ગુજરાત

gujarat

By

Published : Feb 26, 2021, 2:54 PM IST

ETV Bharat / city

સી. આર. પાટીલની સભામાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ચૂંટણી સભા સંબોધવા આવ્યા હતા, ત્યારે કેશોદ એરપોર્ટથી 200 કરતાં વધુ બાઇકચાલકોના કાફલા સાથે સી.આર. પાટીલ સભા સ્થળ પર પહોંચ્યા હતા. મોટાભાગના યુવાનોએ માસ્ક પહેર્યા નહોતા. તેમ જ સામાજિક અંતરનો પણ ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળતો હતો. ચૂંટણી આયોગે ચૂંટણી પ્રચાર અને જાહેર સભાને લઇને ચોક્કસ નિયમો બનાવ્યા છે, પરંતુ ભાજપને આ નિયમો લાગુ પડતા ન હોય તે પ્રકારે કાર્યકરો નિયમો તોડતા જોવા મળ્યા હતા.

સતત વધતા જતા કોરોના સંક્રમણને લઈને રાજકીય પક્ષો બની રહ્યા છે બેજવાબદાર
સતત વધતા જતા કોરોના સંક્રમણને લઈને રાજકીય પક્ષો બની રહ્યા છે બેજવાબદાર

  • પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનો થયો ભંગ
  • બાઇક રેલી દરમિયાન સામાજિક અંતર અને માસ્ક વગર કાર્યકરો જોવા મળ્યા
  • સતત વધતા કોરોના સંક્રમણને લઈને રાજકીય પક્ષો બની રહ્યા છે બેજવાબદાર
    પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનો થયો ભંગ

જૂનાગઢઃ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેશોદ ખાતે જાહેર સભામાં હાજરી આપવા માટે આવ્યા હતા, ત્યારે કોડીનારથી કેશોદ આવેલા સી.આર.પાટીલે એરપોર્ટ પરથી ભાજપના 200 કરતાં વધુ કાર્યકરો સાથે બાઈક રેલી યોજી હતી. આ બાઇક રેલીમાં મોટાભાગના કાર્યકરો માસ્ક વગર જોવા મળતા હતા. વધુમાં બાઇક રેલી દરમિયાન સામાજિક અંતરનો પણ ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળતો હતો. સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજકીય પક્ષોની આ પ્રકારની બેદરકારી સામાન્ય લોકો માટે ખૂબ મોટી નુકસાનકારક બની શકે છે. સત્તાધારી ભાજપ પક્ષના કાર્યકરો જ આ પ્રકારની બેદરકારી દાખવી રહ્યા છે, ત્યારે સામાન્ય લોકો પાસે અમલ કરાવવો સરકાર માટે કઈ રીતે યોગ્ય હોઈ શકે તેને લઈને પણ હવે સવાલો ઊભા થશે.

સી. આર. પાટીલની સભામાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

ચૂંટણી આયોગે પણ નક્કી કર્યા છે દિશાનિર્દેશો તેમ છતાં નિયમોનું નથી થતું કોઈ પાલન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના લઈને ચૂંટણી આયોગે પણ કેટલાક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. જેમાં જાહેર સભા કરતી વખતે સામાજિક અંતર ચોક્કસ જાળવવાનું તેમજ પ્રચાર કરતી વખતે જાહેર માર્ગો પર ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એક સાથે ન જવું. તેમજ માસ્ક અને સામાજિક અંતર ફરજિયાત બનાવાયું છે ત્યારે કેશોદમાં યોજાયેલી પ્રથમ રેલી અને ત્યારબાદની જાહેર સભામાં ચૂંટણી આયોગે નક્કી કરેલા દિશાનિર્દેશોના અમલ કરવાની બાહેધરી સાથે રેલી અને સભાને મંજૂરી મળી હશે, ત્યારે રેલીમાં ચૂંટણી આયોગે નક્કી કરેલા તમામ નિયમોનું ખુલ્લેઆમ ભંગ થતું જોવા મળ્યુ હતું. આગામી દિવસોમાં સમગ્ર મામલાને લઈને અધિકારીઓ ભાજપના કાર્યકરો વિરુદ્ધ કેવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details