ગુજરાત

gujarat

છેલ્લા 2 વર્ષથી બંધ જૂનાગઢ શહેરની સિટી બસ સેવા શરૂ કરવા લોકોની માંગ, મેયરે આપ્યું આશ્વાસન

By

Published : Oct 5, 2021, 5:09 PM IST

જૂનાગઢ શહેર (Junagadh City)માં છેલ્લા 2 વર્ષથી સિટી બસ સેવા (City Bus Service) બંધ છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ઇંધણના ભાવ વધવાના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે, તો બીજી તરફ સિટી બસ પણ બંધ હોવાથી લોકો ત્રાસી ગયા છે. વિરોધ પક્ષના નેતાએ આ મુદ્દે આંદોલનની ચીમકી આપી છે, તો જૂનાગઢના મેયરે (Mayor of Junagadh) એવું આશ્વાસન આપ્યું છે કે આગામી સમયમાં શહેરને 22 સિટી બસો મળશે.

છેલ્લા 2 વર્ષથી બંધ જૂનાગઢ શહેરની સિટી બસ સેવા શરૂ કરવા લોકોની માંગ
છેલ્લા 2 વર્ષથી બંધ જૂનાગઢ શહેરની સિટી બસ સેવા શરૂ કરવા લોકોની માંગ

  • જૂનાગઢ શહેરમાં બંધ પડેલી સિટી બસ સેવાને શરૂ કરવા ઊઠી માંગ
  • 2 વર્ષથી બંધ રહેલી સિટી બસ સેવાને કારણે લોકોને પડી રહી છે પારાવાર મુશ્કેલીઓ
  • જૂનાગઢને 22 સિટી બસો મળશે તેવું મેયરનું આશ્વાસન

જૂનાગઢ: છેલ્લા 2 વર્ષથી જૂનાગઢ શહેરની સિટી બસ સેવા (Junagadh City Bus Service) બંધ જોવા મળી રહી છે. તો હવે શહેરમાં બંધ પડેલી સિટી બસ સેવાને પૂર્વવત કરવા જૂનાગઢના નાગરિકો અને કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા (Leader of the Opposition in Junagadh Corporation) દ્વારા માંગ કરવામાં આવી છે. તેને લઈને જૂનાગઢના મેયરે આગામી દિવસોમાં સરકારી અને કેટલીક ટેકનિકલ વ્યવસ્થા પૂરી થયા બાદ સિટી બસ સેવા જૂનાગઢના લોકો માટે ફરી શરૂ કરાશે ભરોસો અપાવ્યો હતો.

સિટી બસ સેવા બંધ થવાના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલી

છેલ્લા 2 વર્ષથી જૂનાગઢ શહેરની સિટી બસ સેવા બંધ પડેલી જોવા મળી રહી છે, જેને કારણે જૂનાગઢના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હવે શહેરના નાગરિક અને રાજકીય આગેવાનો દ્વારા પણ જૂનાગઢ શહેરની સિટી બસ સેવા પૂર્વવત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જૂનાગઢના નાગરિકો માની રહ્યા છે કે સતત વધી રહેલી મોંઘવારી અને તેમાં પણ પેટ્રોલના ભાવ વધારાને કારણે શહેરની અંદર સ્થાનિક આવાગમન ખુબ જ મોંઘુ પડી રહ્યું છે, ત્યારે શહેરના સ્થાનિક આવાગમન માધ્યમ તરીકે સિટી બસ રાજ્યના તમામ મહાનગરો અને કેટલાક નગરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે, પરંતુ જૂનાગઢ મહાનગરમાં પાછલા 2 વર્ષથી સિટી બસ સેવાનું સંચાલન બંધ થયું છે જેને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા 2 વર્ષથી બંધ જૂનાગઢ શહેરની સિટી બસ સેવા શરૂ કરવા લોકોની માંગ

આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં 22 સિટી બસ દોડતી થશે

સિટી બસ બંધ રહેવાને લઈને Etv ભારતે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાછલા 2 વર્ષથી કોરોના સંક્રમણને કારણે સિટી બસ સેવાનું સંચાલન બંધ જોવા મળે છે જેને કારણે જુનાગઢના લોકોને મુશ્કેલી પડી રહી છે તેવો મેયર સ્વીકાર કર્યો છે, પરંતુ જૂનાગઢ શહેરમાં સિટી બસ સેવાનું સુચારુ અને લાંબાગાળાનું આયોજન રાજ્ય સરકાર અને જૂનાગઢ મનપા કરી રહી છે. આવી પરિસ્થિતિમાં કેટલાક સરકારી અને ટેકનિકલ કામો પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે, જે પૂર્ણ થયા બાદ જૂનાગઢ શહેરને 22 જેટલી સિટી બસ સેવા મળવા જઈ રહી છે.

વિરોધ પક્ષે માર્યો ટોણો

સિટી બસ સેવા બંધ થવાને લઈને જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા અદ્રેમાન પંજાએ વર્તમાન શાસકોને ટોણો મારતા જણાવ્યું હતું કે, જ્યારે જૂનાગઢ નગરપાલિકા હતી ત્યારે વર્ષો સુધી સિટી બસ સેવાનું સંચાલન જૂનાગઢ શહેરના લોકોની સુખાકારી અને સગવડતા માટે કરવામાં આવતું હતું. જૂનાગઢ મનપા બન્યા બાદ સિટી બસ સેવાનું ભવિષ્ય ધૂંધળું બની રહયું છે, ત્યારે આગામી દિવસોમાં લોકોને મળવાપાત્ર અને માળખાકીય કહી શકાય તેવી સિટી બસ સેવા જૂનાગઢ મનપાના શાસકો શરુ નહીં કરે તો તેઓ આંદોલનના માર્ગે વળશે.

આ પણ વાંચો: Our State Bird Flamingo: પરિવારપ્રેમ સહિતની કેટલીક વિશેષતાઓને લઇ બને છે સૌથી નિરાળું

આ પણ વાંચો: જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 8 ની એક બેઠક માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું છે મતદાન

ABOUT THE AUTHOR

...view details