- પવિત્ર તહેવાર હોળીના બીજા દિવસે કરાય છે ધુળેટીની ઉજવણી
- કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે રાજ્ય સરકારે લગાવ્યો પ્રતિબંધ
- જામનગરના રહીશોએ સરકારના પ્રતિબંધને આપ્યો સારો પ્રતિસાદ
જામનગર: સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર હોલિકા દહનની મંજૂરી આપવામાં આવી હતી અને ધુળેટીના દિવસે લોકો રંગથી ન રમે તે માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જામનગરમાં લોકોએ સરકારના નિર્ણયને વધાવી લીધો હતો અને જાહેરમાં ખૂબ ઓછા લોકો ધુળેટી રમતા નજરે પડ્યા હતા.
જામનગરમાં ધુળેટીનો ફિક્કો માહોલ આ પણ વાંચો:પાટણમાં હર્ષોલ્લાસ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરાઈ
જાહેર માર્ગો પર કરફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી
સ્થાનિક પ્રશાસન દ્વારા લોકો ઘરની બહાર ન નીકળે તે માટે અપીલ કરવામાં આવી હતી અને જામનગર વાસીઓએ આ અપીલને માન આપીને સંપૂર્ણપણે પાલન કર્યું છે. જોકે, લોકોએ પોતાના ઘરે રહીને ધુળેટીના તહેવારની ઉજવણી કરી છે. ગત વર્ષે જે પ્રકારે પાર્ટીપ્લોટોમાં ધુળેટી નિમિત્તે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વર્ષે તમામ પાર્ટી પ્લોટમાં ધુળેટીના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવતા જાહેર માર્ગો પર કરફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી હતી.