- ઓખા- એર્નાકુલમ વચ્ચે ટ્રેનની 4 ટ્રીપ દોડશે
- ક્લોન ફેસ્ટિવલ ખાસ ટ્રેનનું બુકીંગ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે
- ટ્રેનમાં થ્રી ટીયર અને સેકન્ડ સ્લીપર તેમજ દ્વિતિય શ્રેણીના કોચ રહેશે
જામનગર: તહેવારને અનુલક્ષીને ઓખા- અર્નાકુલમ વચ્ચે ટ્રેનની ચાર ટ્રીપ દોડશે. આ ક્લોન ફેસ્ટિવલ ટ્રેનનું બુકીંગ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેનમાં થ્રી ટીયર, સેકન્ડ સ્લીપર અને દ્વિતિય શ્રેણીના કોચ રહેશે. ટ્રેનમાં સંપૂર્ણપણે રિઝર્વેશન રહેશે. આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને યાત્રિકોની સુવિધા માટે રેલવે વિભાગે ઓખા-એર્નાકુલમ વચ્ચે ખાસ ક્લોન ફેસ્ટિવલ ટ્રેનની ચાર ટ્રીપ ચલાવવાનો નિર્ણય કરાયો છે.