ગુજરાત

gujarat

દ્વારકામાં રાજ્યની એક માત્ર ઈન્સ્ટિટ્યૂટ 15 વર્ષથી લોકોને scuba diving શિખવાડે છે, જાણો તેની કામગીરી

છેલ્લા ઘણા સમયથી સ્કૂબા ડાઈવિંગ (scuba diving) કરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિદ્વારકામાં ગુજરાતની એક માત્ર આર્થવ સ્કૂબા ડાઈવિંગ ઈન્સ્ટિટ્યૂટ (scuba diving Institute)આવેલી છે. અહીં દરિયામાં રહેલી જીવસૃષ્ટિને નીહાળવા માટે દૂરદૂરથી આવતા હોય છે. ત્યારે લોકો દ્વારકાના દરિયામાં ગોમતી નદી પાસે આવેલા દરિયામાં ડૂબકી લગાવતા હોય છે. તો છેલ્લા 15 વર્ષથી કાર્યરત આ ઈન્સ્ટિટ્યૂટમાં દર વર્ષે અનેક પ્રકારના લોકો સ્કૂબા ડાઈવિંગ શિખવા માટે આવે છે.

By

Published : Jul 19, 2021, 4:15 PM IST

Published : Jul 19, 2021, 4:15 PM IST

ETV Bharat / city

દ્વારકામાં રાજ્યની એક માત્ર ઈન્સ્ટિટ્યૂટ 15 વર્ષથી લોકોને scuba diving શિખવાડે છે, જાણો તેની કામગીરી

દ્વારકામાં રાજ્યની એક માત્ર ઈન્સ્ટિટ્યૂટ 15 વર્ષથી લોકોને scuba diving શિખવાડે છે, જાણો તેની કામગીરી
દ્વારકામાં રાજ્યની એક માત્ર ઈન્સ્ટિટ્યૂટ 15 વર્ષથી લોકોને scuba diving શિખવાડે છે, જાણો તેની કામગીરી

  • દેવભૂમિદ્વારકામાં સ્કૂબા ડાઈવિંગ (scuba diving) શિખવા આવતા લોકોની સંખ્યા વધી
  • દર વર્ષે લોકો દરિયાઈ જીવસૃષ્ટિને નીહાળવા સ્કૂબા ડાઈવિંગ (scuba diving) કરવા અહીં આવે છે
  • અમુક લોકો સ્કૂબા ડાઈવિંગ (scuba diving)માં કરિયર બનાવવા માટે અહીં આવે છે
  • 15 વર્ષથી આર્થવ સ્કૂબા ડાઈવ ઈન્સ્ટિટ્યૂટ લોકોને આપે છે ટ્રેનિંગ

જામનગરઃ દેવભૂમિદ્વારકામાં રાજ્યની એક માત્ર સ્કૂબા ડાઈવિંગ ઈન્સ્ટિટ્યૂટમાં (scuba diving institute)દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્કૂબા ડાઈવિંગ શિખવા આવે છે. જે લોકોને દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો શોખ હોય છે. તેવા લોકો અચૂક આ ટ્રેનિંગ લે છે. આ ઉપરાંત અહીં 2 પ્રકારના લોકો સ્કૂબા ડ્રાઈવ કરવા આવતા હોય છે. એક તો જેને તેમાં કરિયર બનાવવું છે. અને બીજા જે લોકોને દરિયાઈ જીવસૃષ્ટિ જોવામાં રસ છે. દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત આર્થવ ડાઈવિંગ ઈન્સ્ટિટ્યૂટ અહીં લોકોને સ્કૂબા ડાઈવિંગની ટ્રેનિંગ આપી રહી છે.

15 વર્ષથી આર્થવ સ્કૂબા ડાઈવ ઈન્સ્ટિટ્યૂટ લોકોને આપે છે ટ્રેનિંગ

આ પણ વાંચો:વહિદા રહેમાને ફરી એકવાર પ્રમાણિત કર્યું કે ઉંમર એક માત્ર આંકડો

અનેક લોકો સ્ક્યુબા ડાઈવ (scuba diving) કરવા માટે દ્વારકા આવે છે

એવી લોકવાયકા છે કે, ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા દ્વારકા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, મૂળ દ્વારકા દરિયામાં ગરકાવ થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણએ દ્વારકા નગરી બનાવી હતી ત્યારે બ્રહ્માજી પાસે વરદાન માગ્યું હતું. પોતે દરિયાએ દ્વારકા નગરી માટે પાણી ઓછું કરી નાખ્યું હતું. ભગવાન કૃષ્ણએ બાદમાં દ્વારકા નગરી અહીં બનાવી હતી. જોકે, બાદમાં કૃષ્ણ ભગવાન સોમનાથ ચાલ્યા જતા દરિયા પાસેથી માગેલી જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં દ્વારકાનગરી દરિયામાં ડૂબી ગઈ છે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

આ પણ વાંચો-જાણો, આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ અન્ય યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપતા જવાન વિશે

અમુક લોકો સ્કૂબા ડાઈવિંગ (scuba diving)માં કરિયર બનાવવા માટે અહીં આવે છે

દ્વારકા નગરી પણ દરિયામાં થઈ છે ગરકાવ

જોકે, દ્વારકા નગરી પાણીમાં ગરકાવ થઈ ગઈ તેના પર હાલ સંશોધન ચાલી રહ્યું છે તો સ્કૂબા ડાઈવ (scuba diving) માટે આવતા લોકો પણ દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીને જોવા માટે પણ સ્કૂબા ડાઈવ કરતા જોવા મળે છે. જોકે, દ્વારકાના દરિયામાં અને જીવજંતુઓ વાસ કરી રહ્યા છે. તો અનેક જાતની માછલીઓ પણ દ્વારકાના દરિયામાં જોવા મળે છે. ત્યારે અહીં ગુજરાત તમે જ અન્ય રાજ્યોમાંથી લોકો સ્કૂબા ડાઈવ કરવા માટે આવે છે. સ્કૂબા ડાઈવ માટે 5 કલાકનો સમય હોય છે. 5કલાક દરિયામાં રહેવું પડે છે. છેલ્લા 15 વર્ષમાં એક પણ વ્યકિતનું સ્કૂબા ડાઈવ કરતી વખતે ન તો ઇજા થઇ કે ન મોત.

પુરાતત્વ ખાતા દ્વારા આગાહી કરવામાં આવી રહ્યું છે સંશોધન

Etv Bharat સાથેની વાતમાં આર્થવ ઇન્સ્ટિટ્યૂટના એસ. બાભણિયાએ જણાવ્યું હતું કે, મોટા ભાગે યગ લોકો પોતાના મિત્ર સર્કલ સાથે અહીં આવે છે. અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન (Online Registration) કરાવવું પડે છે. બાદમાં જે તે લોકોને જાણ કરવામાં આવે છે અને પછી તમામ લોકોને સ્કૂબા ડાઈવની બેઝિક માહિતી આપવામાં આવે છે અને પછી દરિયામાં જીવસૃષ્ટિના દર્શન કરાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details