જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવતા 5 ગામોમાં તાલુકા વિકાસ અધિકારીની આગેવાનીમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જોડિયા પંથકમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. વર્ષ 2015ના 27 એપ્રિલના મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ ખેડૂતને એક હેક્ટરદીઠ રૂપિયા 6800નો લાભ મળવાપાત્ર છે. જે ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાની થઈ છે તેમને પૂરતું વળતર મળશે તેવું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ - jodiya taluk villages
જામનગરના જોડિયા પંથકમાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ
આ સર્વેની કામગીરીમાં તારાણા, કોઠારીયા, માણામોરા, દૂધઈ, કુનડ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોને વાડીની મુલાકાત લઈ સર્વેની કામગીરી કરવામાં આવી હતી.
જામનગરના જોડિયા પંથકના 5 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ