ગુજરાત

gujarat

By

Published : Apr 22, 2022, 8:39 PM IST

ETV Bharat / city

SRP Personnel Died in Jamnagar: ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા SRP જવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા?

જામનગરના કાનાલુસમાં ખાનગી કંપનીમા ફરજ બજાવતા SRP જવાન ત્રણ દિવસ પહેલા ગુમ(Missing body of SRP personnel) થયો હતો. આ બાદ પન્ના નેશ તળાવમાંથી મૃતદેહ(SRP Personnel Died in Jamnagar) મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોલીસે પરિવારને સોંપી દીધો

SRP Personnel Died in Jamnagar: ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા SRP જવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા?
SRP Personnel Died in Jamnagar: ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા SRP જવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા?

જામનગર: શહેર નજીક કાનાલુસમાં એક ખાનગી કંપની વિસ્તારમાં(SRP Personnel works in Private company) ફરજ પર રહેલા SRP જવાન નિતિન બાબુ ધુલિયા 17 એપ્રિલ 2022ના રાત્રે પોતાની ફરજ ઉપર હતા. આ દરમિયાન એકાએક ગુમ થઈ ગયા હતા. તેઓ મૂળ સુરત પંથકના(SRP Personnel From Surat) વતની અને હાલ જામનગર જિલ્લામાં કાનાલુસ વિસ્તારમાં ફરજ બજાવતા હતા. આ SRP જવાન ગૂમ(Missing body of SRP personnel) થઇ ગયા પછી પન્ના નેશ તળાવમાંથી તેમનો મૃતદેહ(SRP Personnel Died in Jamnagar) મળી આવતાં ભારે ચકચાર મચી હતી. સમગ્ર મામલે મેઘપર પોલીસ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:Girl Missing In Surat: સુરતમાં ગુમ થયેલી 2 વર્ષની બાળકી 15 કલાક બાદ હેમખેમ મળી આવી

મેઘપર પડાણા પોલીસમાં ગુમ થયાની નોંધ -તેઓ પોતાનો મોબાઈલ અને સરકારી હથિયાર પણ ફરજના સ્થળે જ છોડી ગયા હતા. આ અંગે તેમના સાથી કર્મચારી એવા SRP જવાન રાજેશ ઈશ્વર ગામિત દ્વારા મેઘપર પડાણા પોલીસમાં ગુમ થયાની નોંધ કરવામાં આવી હતી. આથી હેડ કોન્સ્ટેબલ(Head Constable in Jamnagar0 વી.સી. જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:Navsari fishermen missing: મુંબઇ વહાણમાં ગયેલા નવસારીના 5 માછીમારો ગુમ

તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ -SRPના જવાન નીતિન ધુલીયાનું કોઈપણ કારણોસર તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને લઇને SRPના કેમ્પસમાં ભારે ચકચાર જાગી છે. મેઘપર પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી મેઘપર બોલાવી લીધા હતા. પોલીસે મૃતદેહનો કબજો તેમના પરિવારને સોંપી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details