ગુજરાત

gujarat

By

Published : May 1, 2021, 4:04 PM IST

ETV Bharat / city

Reliance Industries: એક જ સ્થળેથી સૌથી વધુ ઓક્સિજન ઉત્પાદન કરનારી ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની બની

કોરોનાની બીજી લહેરને કારણે મેડિકલ ગ્રેડના ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓક્સિજનનું ઉત્પાદન શરુ કર્યું છે. આમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે એક જ સ્થળેથી સૌથી વધુ ઉત્પાદન કરનારો ભારતનો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે. RIL અત્યારે પ્રતિ દિવસે 1000 મેટ્રિક ટન મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જે, ભારતના કુલ ઉત્પાદનના 11 ટકા ઉત્પાદન કરીને દર 10 દર્દીઓમાંના એકની જરૂરિયાત પૂરી કરે છે.

રિલાયન્સ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ  મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન
રિલાયન્સ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન

  • RILએ મેડિકલ ગ્રેડના ઓક્સિજનના ઉત્પાદનને શૂન્યથી 1000 મેટ્રિક ટન પ્રતિ દિવસ સુધી પહોંચાડ્યું
  • અધ્યક્ષ મુકેશ અંબાણીની ઓક્સિજનના ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશનની કામગીરી પર દેખરેખ
  • રિલાયન્સએ એપ્રિલ 2021માં, 15000 મેટ્રિક ટન ઓક્સિજન તદ્દન નિઃશૂલ્ક પૂરો પાડ્યો
  • રિલાયન્સનો ભારતમાં થતા ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં 11 ટકા હિસ્સો

જામનગર:કોરોના મહામારીના નવી લહેર સામે ભારત ઝઝૂમી રહ્યું છે. ત્યારે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કિંમતી જિંદગીઓ બચાવવા માટે તેના તમામ શક્ય પ્રયાસો કામે લગાડવા મેદાને ઉતરી છે. સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીઓ માટે મેડિકલ ગ્રેડનો ઓક્સિજન ઉપલબ્ધ કરાવવો એ અત્યારની સમયની તાતી જરૂરિયાત છે. સામાન્ય રીતે, રિલાયન્સ મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતું નથી. તેમ છતાં, મહામારી અગાઉ કોઈ વ્યવસ્થા ન હોવા છતાં પણ શૂન્યથી શરૂઆત કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે એક જ સ્થળેથી સૌથી વધુ ઉત્પાદન કરનારો ભારતનો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે. RIL અત્યારે પ્રતિ દિવસે 1000 મેટ્રિક ટન મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. એમ કહી શકાય કે, ભારતના કુલ ઉત્પાદનના 11 ટકા ઉત્પાદન કરીને દર 10 દર્દીઓમાંના એકની જરૂરિયાત પૂરી કરે છે.

રિલાયન્સ એક જ સ્થળેથી સૌથી વધુ ઉત્પાદન કરનારી ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની બની

આ પણ વાંચો:જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

રિલાયન્સનો મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતાને મજબૂત કરવા દ્વિપક્ષી અભિગમ

  • મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદનને ઝડપી બનાવવા માટે રિલાયન્સ જામનગર અને અન્ય ઔદ્યોગિક પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
  • ભારતભરના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઝડપી અને સલામત રીતે પુરવઠો પહોંચે તે સુનિશ્ચિત કરવા લોડિંગ અને ટ્રાન્સપોર્ટેશનની ક્ષમતામાં વધારો કરવો

રિલાયન્સની ઔદ્યોગિક સુવિધાઓ ખાતે તબીબી ગ્રેડ ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો

  • મહામારી અગાઉ, રિલાયન્સ મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતું નહોતું. જોકે, RILના ઇજનેરોએ પ્રવર્તમાન કામગીરીમાં તાત્કાલિક જરૂરી ફેરફારો કર્યા બાદ, રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરાયેલા સંસાધનો દ્વારા મેડિકલ ગ્રેડના વધુ શુદ્ધ પ્રકારના ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે તૈયાર કર્યા.
  • મેડિકલ ગ્રેડનો લિક્વિડ ઓક્સિજન 99.5 ટકા શુદ્ધતા સાથે માઇનસ 183 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને ઉત્પાદિત કરવો પડે છે. ઉત્પાદન કરવા અને તેમાં વધારો કરવા માટે આ પરિસ્થિતિ અસાધારણ પડકારો ઊભા કરે છે.
  • રિલાયન્સના ઇજનેરોએ થાક્યા વગર કામ કર્યું અને ક્રાયોજેનિક એર સેપરેશન યુનિટ્સની પ્રક્રિયાઓમાં જરૂરી ફેરફારો કરી ખૂબ જ ઓછા સમયમાં મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદનને વધાર્યું છે.
  • આ ભગીરથ કામગીરીના પરિણામે રિલાયન્સ મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન શૂન્યથી 1000 મેટ્રિક ટન સુધી પહોંચાડી શકાયું છે. જે દેશમાં મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં 11 ટકાનો હિસ્સો ધરાવે છે.
  • સમગ્ર દેશની અનેક રાજ્ય સરકારોને આ ઓક્સિજન વિના મૂલ્યે આપવામાં આવી રહ્યો છે. જેથી, દરરોજ એક લાખથી વધુ દર્દીઓને તાત્કાલિક રાહત મળી શકે.
  • માર્ચ 2020માં રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં રિલાયન્સે દેશભરમાં 55,000 મેટ્રિક ટનથી વધુ મેડિકલ ગ્રેડનો લિક્વિડ ઓક્સિજન પૂરો પાડ્યો છે.

આ પણ વાંચો:મુકેશ અંબાણી મહારાષ્ટ્રમાં 100 ટન ઓક્સિજન વિનામૂલ્યે આપશે

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સિજનનો ઝડપી પુરવઠો કર્યો સુનિશ્ચિત

  • ઉચ્ચ ગુણવત્તાવાળા મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદન ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાં લિક્વિડ ઓક્સિજનનો પુરવઠો ઝડપથી પહોંચે તે માટે ટ્રાન્સપોર્ટેશનના પડકારોને ઝડપથી કાબૂ કરવાનો હતો. આ ઉપરાંત, તેની સલામત અને ઝડપી પરિવહન માટે લોડિંગ ક્ષમતામાં વધારો કરવાની આવશ્યકતા હતી.
  • આ સિદ્ધિ હાંસલ કરવા માટે, રિલાયન્સના એન્જિનિયરોએ રેલ અને માર્ગ પરિવહનમાં સ્માર્ટ લોજિસ્ટિકલ ફેરફાર કર્યા હતા. જેમ કે, સમાંતર પાઇપલાઇન્સ નાખવી, પ્રેશરમાં ફેરફારો કરી લિક્વિડ ટેન્કર્સ લોડિંગ કરવું. કારણ કે, લિક્વિડ ઓક્સિજનના પમ્પ ટૂંકા ગાળામાં ઇન્સ્ટોલ ન થઈ શકે.
  • અન્ય એક નવીનતામાં, રિલાયન્સે નાઇટ્રોજન ટેન્કરોને મેડિકલ ગ્રેડ ઓક્સિજન માટે પરિવહન કરવાના ટ્રકમાં રૂપાંતરિત કર્યા છે. તેમાં, ભારત સરકારની સંબંધિત નિયંત્રક સંસ્થા પેટ્રોલિયમ એન્ડ એક્સ્પ્લોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન (PESO) દ્વારા માન્ય કરાયેલી નવીન અને સુરક્ષિત પ્રક્રિયાનો ઉપયોગ કરાયો હતો.
  • 500 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની નવી ટ્રાન્સપોર્ટેશન ક્ષમતાનો ઉમેરો કરવા માટે રિલાયન્સએ સાઉદી અરેબિયા, જર્મની, બેલ્જિયમ, ધ નેધરલેન્ડ્સ અને થાઇલેન્ડથી ભારતમાં 24 ISO કન્ટેનર્સ એરલિફ્ટ કરાવ્યા છે. આ ISO કન્ટેનર્સ દેશમાં મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનના પરિવહનના પડકારોને દૂર કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, રિલાયન્સ આગામી દિવસોમાં વધુ ISO કન્ટેનર્સ એરલિફ્ટિંગ કરાવશે.
  • કોવિડ સામેની લડાઈમાં દેશને મદદ કરવા માટેના ISO કન્ટેનર્સ પૂરા પાડવા અને ટ્રાન્સપોર્ટ કરવામાં મદદ કરવા બદલ અરામ્કો, બીપી અને IAFનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
    રિલાયન્સ એક જ સ્થળેથી સૌથી વધુ ઉત્પાદન કરનારી ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની બની

આ પણ વાંચો:મુંબઈ મહાનગર વિસ્તારમાં પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન પહોંચી

અમારા માટે એક-એક જીવન બચાવવાથી વધારે મહત્વપૂર્ણ કશું જ નથી: મૂકેશ અંબાણી

આ અંગે ટીપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારત જ્યારે કોવિડ-19 મહામારીના નવી લહેર સામે લડી રહ્યું છે. ત્યારે, મારા તેમજ રિલાયન્સમાં અમારા બધા માટે એક-એક જીવન બચાવવાથી વધારે મહત્વપૂર્ણ કશું જ નથી. ભારતની મેડિકલ ઓક્સિજન ઉત્પાદન અને પરિવહન ક્ષમતા ઉચ્ચતમ સ્તરે લઇ જવાની તાત્કાલિક જરૂર છે. આ નવા પડકારને પહોંચી વળવા માટે રાષ્ટ્રપ્રેમથી છલકતી ત્વરીતતાની ભાવના સાથે અથાગ પરિશ્રમ કરનારા જામનગરના અમારા એંન્જિનિયરો પર મને ગર્વ છે. ભારતને જ્યારે સૌથી વધારે જરૂરીયાત છે ત્યારે, ફરીથી એક વખત પડકારને ઝીલીને અપેક્ષિત પરિણામો આપનારા રિલાયન્સ પરિવારના તેજસ્વી અને યુવાન સભ્યોએ દર્શાવેલી પ્રતિબધ્ધતા અને યથાર્થતાથી હું સાચા અર્થમાં વિનમ્ર બન્યો છું.”

અમારાથી જે કોઇપણ પ્રકારની મદદ થઈ શકે છે તે ચાલુ રાખીશું: નીતા અંબાણી

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરમેન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “આપણો દેશ અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અમારાથી જે કોઇપણ પ્રકારની મદદ થઈ શકે છે તે ચાલુ રાખીશું. દરેક જીવન મૂલ્યવાન છે. અમારી જામનગર રિફાઇનરીમાં આવેલા પ્લાન્ટ્સમાં રાતોરાત બદલાવ કરીને મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવે છે. જેને હાલમાં, સમગ્ર ભારતમાં વિતરીત કરવામાં આવી રહ્યો છે. અમારી લાગણી અને પ્રાર્થના દેશવાસીઓ સાથે છે. સાથે મળીને આપણે આ મુશ્કેલ સમયમાં જીત મેળવીશું.

ABOUT THE AUTHOR

...view details