- સામાજીક સંસ્થાના સહયોગ વિના એકલા હાથે અભ્યાસ કરાવતા રેખા નંદાની અનોખી સેવા વૃત્તિ
- ભિક્ષાવૃત્તિ કરતા ગરીબ બાળકોને આજે પણ અક્ષરજ્ઞાન મેળવવું ખૂબ કઠિન
- ગરીબ અને છેવાડાના માનવીની સેવામાં જીવન સમર્પિત કરવું જોઈએ: રેખા નંદા
જામનગર: ગરીબ અને ભીખ માંગતા બાળકોને કોઈપણ જાતની સરકારી સહાય કે કોઈપણ સામાજીક સંસ્થાના (social organization) સહયોગ વિના એકલા હાથે અભ્યાસ (teaching poor and begging childrenren)કરાવતા રેખા નંદાની અનોખી સેવા વૃત્તિ (Rekha Nanda's unique service) જોવા મળી રહી છે. જામનગરના લાખોટા તળાવની આજુબાજુમાં મોટી સંખ્યામાં બાળકો જોવા મળી રહ્યા છે. વહેલી સવારે રેખા નંદા છ વાગ્યે ઉઠીને સીધા લાખોટા તળાવ ખાતે પહોંચે છે, અને અહીં તમામ બાળકોને એકઠા કરી અને ભણવાનું શરૂ કરે છે.
આ પણ વાંચો:અંબાજી વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃ ધબકતી થયી
ગરીબ બાળકોને છેલ્લા ઘણા સમયથી આપી રહ્યા છે શિક્ષણ
ETV Bharat સાથેની વાતચીતમાં રેખાબેને જણાવ્યું કે તેમના ગુરૂજીએ તેમને એક મંત્ર આપ્યો હતો અને આ મંત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ગરીબ અને છેવાડાના માનવીની સેવામાં જીવન સમર્પિત કરવું જોઈએ, ત્યારથી રેખાબેન સતત ગરીબ લોકોની સેવા કરતા જોવા મળી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં બાળકો અક્ષરજ્ઞાન મેળવવા માટે આવી રહ્યા છે.