- જામનગરમાં ફૂડ શાખાની પાણીપુરીના વિકર્તાઓને ત્યાં તવા
- 10 દુકાનોમાં ચેકિંગ
- પાણીપુરી વિક્રેતાઓને ત્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થઈ રહી છે એકઠી
જામનગર: ખાસ કરીને કોરોના કાળમાં લોકો કોરોના સંક્રમિત ન બને તે માટે તમામ પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઇ હાથ ધરવામાં આવી હતી. તેમ જ તેઓ પાણીપુરી માટે જે સામગ્રીનો ઉપયોગ કરે છે. તે સામગ્રનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બટાકા તેમજ પાણીપુરીનું પાણી પણ ચેક કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં રણજીત નગર તેમજ પ્લોટ પોલીસ ચોકી વિસ્તારમાં 10 જેટલી પાણીપુરીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તમામ દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા છે અને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
દસ દુકાનોમાંથી લેવાયા નમુના