- નબળી ગુણવતાવાળા ગ્લોવ્ઝ કોરોનાને આપી શકે છે આમંત્રણ
- જાનના જોખમે ફરજ નિભાવતા નર્સિંગ સ્ટાફ સાથે અન્યાય
- તાત્કાલિક હોસ્પિટલમાં નવા ગ્લોવ્ઝ પ્રોજેવાઈડ કરવા જોઈએ
જામનગર: હાલ કોરોનાની મહામારી જોવા મળી રહી છે ત્યારે કોરોનાની મહામારીમાં જીવના જોખમે નર્સિંગ સ્ટાફ ડ્યુટી નિભાવી રહ્યો છે. ત્યારે જામનગરની ગુરુગોવિદ સિંઘ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં નબળા ગ્લોવ્ઝના કારણે નર્સિંગ સ્ટાફે કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા વિરોધ મામલે જી. જી. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દિપક તિવારીએ જણાવ્યું કે, "હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ નર્સિંગ સ્ટાફને તાત્કાલિક નવા ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. જેના કારણે નર્સિંગ સ્ટાફ ફરીથી પોતાની ફરજ પર હાજર થયો છે"
આ પણ વાંચો: સયાજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર, બે મહિનાનો પગાર ચૂકવવાની માગ
નબળી ગુણવતાવાળા ગ્લોવ્ઝ કોરોનાને આપી શકે છે આમંત્રણ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા નબળા ગ્લોવ્ઝના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને કામગીરી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. છેલ્લા આઠ દિવસથી નબળા ગ્લોવ્ઝ આવવાના કારણે નર્સિંગ સ્ટાફના લોકો પણ કોરોના સંક્રમિત બને તેવી શક્યતા છે.
જાનના જોખમે ફરજ નિભાવતા નર્સિંગ સ્ટાફ સાથે અન્યાય