ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોરોના અંગેની સમિક્ષા બેઠક યોજી - જામનગરના સમાચાર

આજે સોમવારે અન્ન અને નાગરિક પૂરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની જી. જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તથા ડોક્ટરો સાથે જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંદેની સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે લોકોને અપીલ પણ કરી હતી.

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોરોના અંગેની સમિક્ષા બેઠક યોજી
રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોરોના અંગેની સમિક્ષા બેઠક યોજી

By

Published : May 3, 2021, 4:01 PM IST

  • હોસ્પિટલ ખાતે તમામ સુવિધાઓ સજ્જ, જનપ્રતિનિધિઓ જનતાની પડખે
  • આરોગ્યકર્મીઓની રાત-દિવસની અવિરત સેવાને બિરદાવતા રાજ્યપ્રધાન
  • રાજ્યપ્રધાનએ જિલ્લા કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી

જામનગર: આજે સોમવારે અન્ન અને નાગરિક પૂરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી. જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમણે હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તથા ડોક્ટરો સાથે જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમિક્ષા બેઠક યોજી હતી.

હોસ્પિટલ ખાતે તમામ સુવિધાઓ સજ્જ, જનપ્રતિનિધિઓ જનતાની પડખે

રાજ્યપ્રધાને અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી

આ બેઠકમાં રાજ્યપ્રધાને દાખલ દર્દીઓની સંખ્યા તથા તેમની સ્થિતિ, હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત તથા તેની સ્થિતિ, રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત તથા માગ, આવશ્યક દવાઓની જરૂરિયાત, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની ફાળવણી અને રાત્રિ દરમિયાન દાખલ દર્દીઓની વિશેષ કાળજી સહિતના મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ રાજ્યપ્રધાને હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તથા સૂચનો ધ્યાનથી સાંભળ્યા હતા અને સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

આરોગ્યકર્મીઓની રાત-દિવસની અવિરત સેવાને બિરદાવતા રાજ્યપ્રધાન

આ પણ વાંચોઃ કોરોના સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ લીધા કચ્છ માટે મહત્વના નિર્ણયો

સમિક્ષા બેઠકમાં વિવિધ સૂચનો કર્યા રાજ્યપ્રધાને

રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ તકે તમામ આરોગ્યકર્મીઓની રાત-દિવસની સતત મહેનત અને સેવાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 8 કલાકના સ્થાને આપ સૌ હાલ 12 કલાકથી વધુ ફરજ બજાવો છો, આપના પરિવારને મૂકી અન્યના પરિવારોને પોતાના સમજી સેવા કરો છો એ બાબત ખરેખર વંદનિય છે.

કોરોના સંક્રમણની ગતિ વધુ છેઃ રાજ્યપ્રધાન

અન્ન અને નાગરિક પૂરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન મહામારીનો બીજો તબક્કો આપણે ધાર્યો હતો તેના કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણની ગતિ વધુ છે, આ સમયે જરૂરી છે કે, તમામે તમામ લોકો એ બાબતની પૂરી તકેદારી રાખે કે સંક્રમણ આગળ વધે નહીં.

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોરોના અંગેની સમિક્ષા બેઠક યોજી

કોવિડ હોસ્પિટલને દવાઓ સહિતનો તમામ જથ્થો મળી રહે તેવા પ્રયાસ

આ સાથે જ રાજ્યપ્રધાને હોસ્પિટલની વ્યવસ્થા અંગે જણાવતાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે કેબિનેટ પ્રધાન આર. સી. ફળદુ, પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સતત સંપર્કમાં રહીને જામનગરની કોવિડ હોસ્પિટલને જે જરૂરિયાત છે તે મુજબનો ઓક્સિજનનો જથ્થો, રેમડેસિવીર ઇન્જેક્શન વગેરે દવાઓનો પૂરતો જથ્થો મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા જિલ્લાના અધિકારીઓ સાથે કરશે સમિક્ષા બેઠક

રાજ્યપ્રધાનને લોકોને અપીલ

રાજ્યપ્રધાને લોકોને અપીલ કરી હતી કે, વર્તમાન મહામારીમાં તેઓ જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની પડખે ઊભા રહ્યા છીએ અને ઊભા રહીશું, લોકો જરા પણ ડરે નહીં, જામનગર ખાતે વ્યવસ્થામાં કોઈ ઉણપ આવશે નહીં પરંતુ જરૂરી છે કે, લોકો જાગૃત રહે તેમને અને તંત્રને સાથ આપે. મહામારીને રોકવા માટે જે તકેદારીઓ સૂચવવામાં આવી છે તેનું પૂરેપૂરું પાલન કરે.

દર્દીઓ છેલ્લા સ્ટેજમાં હોસ્પિટલમાં આવી રહ્યા છે

હાલ ઓક્સિજનનો જથ્થો પૂરતો મળી રહ્યો હોવા છતાં 24 કલાકમાં મૃત્યુ દર ઘટાડી શકાયો નથી તેનું મુખ્ય કારણ એ છે કે, દર્દીઓ આ બીમારીના છેલ્લા સ્ટેજમાં એટલે કે અત્યંત ગંભીર પરિસ્થિતિ થયા બાદ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ સમયે જામનગરના તમામ લોકોને ખાસ અનુરોધ છે કે, જો આપને જરાપણ કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક અસરથી તબીબનો સંપર્ક કરો, અન્ય લોકોથી અંતર રાખો અને પોતાની સામાજિક જવાબદારીને પૂર્ણપણે નિભાવો.

લોકો હિંમત રાખે, ડરે નહીં તથા તકેદારીથી આ મહામારી સામે લડત આપેઃ રાજ્યપ્રધાન

તંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા રાતદિવસ તમામ વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ જો જનતા જનાર્દનનો સાથ નહિ હોય તો આ મહામારી સામેના જંગમાં જીતી શકીશું નહીં. આ માટે તમામ લોકો હિંમત રાખી જરા પણ ડરે નહીં. તકેદારીથી આ મહામારી સામે લડત આપશે તો આપણી જીત થશે તેમ જણાવી મુખ્યપ્રધાને લોકોને આ મહામારી સામેના જંગમાં સહયોગ આપવા અને નજીકના ભવિષ્યમાં આ મહામારીને માત આપવા આશા વ્યક્ત કરી હતી.

જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની સાથે ઉભા છેઃ રાજ્યપ્રધાન

આ ઉપરાંત કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ હોસ્પિટલમાં મૃત્યુ પામતા દર્દીઓના શબ જે પરિવારજન ઈચ્છે છે તેમને સોંપવામાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં મૃતદેહ ઘરે લઈ જવામાં આવ્યા બાદ કીટ ખોલવામાં આવી છે, જેના કારણે બીજા લોકો પણ સંક્રમિત બન્યા હોવાની ભીતિ પેદા થઈ છે. આ સમયે જે લોકો મૃતદેહને ઘરે લઈ જાય તે કીટને ખોલે નહીં અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી કોવિડ માર્ગદર્શિકાનુ પાલન કરે તેમ કહી રાજ્યપ્રધાનએ જામનગરની જનતાને કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની સાથે ઉભા છે, હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ ઉણપ આવવા દેવામાં આવશે નહીં, આ સમયે માત્ર જામનગરવાસીઓનાં સાથની જરૂર છે.

જી. જી. હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓક્સિજનનો પૂરતો જથ્થો છે

આ મુલાકાતમાં શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, નાયબ કલેક્ટર ઉપાધ્યાય, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, ડીન નંદીની દેસાઇ, સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. તિવારી, કોરોના નોડલ ઓફિસર ડો. એસ. એસ. ચેટરજી, એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વસાવડા વગેરે અધિકારી ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details