ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર: વૈજ્ઞાનિકોએ પાકના ભુસામાંથી ખાતર બનાવવાની રીત શોધી

જામનગરના કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ એક નવો પ્રયોગ કર્યો છે. ખેડૂતો પાકમાંથી નિકળતા ભુંસાને મોટે ભાગે બાળી નાખતા હોય છે જેના કારણે પ્રદુષણમાં વધારો થાય છે. વૈજ્ઞાનિક આ ભુસામાંથી ખાતર બનાવવાની એક નવી રીત શોધી નાખી છે.

By

Published : Jun 11, 2021, 4:56 PM IST

xx
જામનગર: વૈજ્ઞાનિકોએ પાકના ભુસામાંથી ખાતર બનાવવાની રીત શોધી

  • જામનગરના કૃષિ સંશોધન કેન્દ્રનાવૈજ્ઞાનિકને શોધી એક નવી રીત
  • ભુસુમાંથી બનાવી શકાશે ખાતર
  • પ્રદુષણમાં થશે માટો ઘટાડો

જામનગર: મોટાભાગના ખેડૂતો ખેતરમાં પાકનું ઉત્પાદન થઈ ગયા બાદ પાક ભુસુ નિકળતુ હોય છે. જેને ખેડૂતો તેને સળગાવી નાખતાં હોય છે. ખાસ કરીને ઘઉં, બાજરી,શેરડી,એરંડા,કપાસ જેવા પાકમાં ભુસુ નિકળતુ હોય છે. ખેડૂતો તેને બાળી નાખતા હોય છે, જેના કારણે પ્રદુષણ ખૂબ વધી રહ્યું છે.

ભુસાનું ખાતર બનાવી શકાય

જામનગરમાં ખેતીવાડી સંશોધન કેન્દ્રમાં નવતર પ્રયાગ કરવામાં આવ્યો છે. જે સમગ્ર દેશના ખેડૂતોને ઉપયોગી બની શકે છે. કૃષિ કેન્દ્રમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છે અને બાદમાં ઘઉં તેમજ બાજરીની પરાડને રોટાવેટર મારફતે જમીનમાં જ દફનાવી દેવામાં આવે છે. માત્ર 20 દિવસમાં આ પરાડ સડી જાય છે. જો ખેડૂત પાસે પેટનું પાણી હોય તો એક પાણી પણ પીવડાવવું જોઈએ જેના કારણે એક મહિનામાં પરાડનું સેન્દ્રીય ખાતર બની જાય છે.

દિલ્હી બાજૂ આ સમસ્યા વધુ

દિલ્હી ,પજાંબ હરિયાણા અને યુપીમાં ખેડૂતો ઘઉંનું ઉત્પાદન થઈ ગયા બાદ મોટા ભાગે સળગાવવાનું પસંદ કરે છે. સળગેલા ઘઉંની પરાડની રાખ બની જાય છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ ઑને યોગ્ય ખોરાક મળતો નથી જેના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન પણ મળતું નથી. જો ખેડૂતો ભુંસા જમીનમાં જ દાટી દે તો માત્ર 1 મહિનામાં જ સેન્દ્રીય ખાતર બની જાય છે જેના કારણે સૂક્ષ્મ જીવાણુઓને પણ પૂરતો ખોરાક મળી રહે છે.

જામનગર: વૈજ્ઞાનિકોએ પાકના ભુસામાંથી ખાતર બનાવવાની રીત શોધી

આ પણ વાંચો : પોરબંદરના બરડા પંથકમાં પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે મેળવ્યો કેરીનો મબલક પાક

વૈજ્ઞાનિક સોલ્યુશન

ખેડૂતો ચોમાસા તેમાં શિયાળામાં વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે જોકે જે પ્રકારે કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું ઘઉંની પરાડને જમીનમાં રોટા વેટરથી દાટી દેવામાં આવે તો ઉપયોગી સાબિત થઈ શકે છે, પણ નવા વાવેલા પાકને નુકશાન પણ કરી શકે છે. કારણ કે જે વેસ્ટ માલ જમીનમાં દાટ્યો છે. એમાંથી અમુક અવશેષો રહી જાય છે.પણ કૃષિ વૈજ્ઞાનિકે તેના વિશે સોલ્યુશન આપ્યું છે.

શુ કહે છે વૈજ્ઞાનિક

જામનગરના સિનિયર કૃષિ વૈજ્ઞાનિક કે પી બારીયા જણાવી રહ્યા છે કે કોઈપણ ખેડૂતે પોતાના ખેતરમાં એક ઊંડો ખાડો બનાવી લેવો છે આ ખાડામાં વધેલો વેસ્ટ સ્ટોકને દાટી દેવું જોઇએ અને તેમાં પાણી સટકાવ કરવાથી એક બે મહિના રાખવાથી સેન્દ્રીય ખાતર બની જાય છે.

આ પણ વાંચો : વિરપુરના યુવા ખેડૂત લાલ ભીંડાની નવી પ્રજાતિની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા

ABOUT THE AUTHOR

...view details