ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર

ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જામનગરમાં મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં વિકાસનાં નવા કામોનાં વાયદાઓ અને અધૂરા કામો પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ છે.

By

Published : Feb 16, 2021, 1:34 PM IST

જામનગર મ.ન.પા.ની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર
જામનગર મ.ન.પા.ની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર

  • નવા બે ફાયર સ્ટેશનો બનાવવાની જાહેરાત
  • ટ્રાફિક સમસ્યા દૂર કરવા રીગ રોડ બનાવવામાં આવશે
  • નવા સીમાંકનથી ભળેલા વિસ્તાર માટે કોઈ જાહેરાત નહી

જામનગર: આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટોમાં ચૂંટણીને લઈને કેટલાય વાયદાઓ કરવામાં આવ્યા છે. આ સાથે જામનગરમાં હજુ પણ અટકીને પડેલા વિકાસનાં કાર્યોને પૂરા કરવામી ખાતરી પણ આપવામાં આવી છે.

જામનગર મ.ન.પા.ની ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર
રખડતા ઢોરોનાં નિકાલ માટે અન્ય મેગા સિટીનાં મોડલને અપનાવાશેમેનિફેસ્ટોમાં જણાવ્યા પ્રમાણે, જામનગર શહેરમાં બે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. એક ફાયર સ્ટેશન લાલપુર રોડ પર અને બીજું હાપા વિસ્તારમાં શરૂ કરાશે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે બેડી બંદર રોડ પર રિંગ રોડનું અધૂરું કાર્ય પૂર્ણ કરવામાં આવશે. મેનિફેસ્ટોમાં વધુમાં જણાવ્યું છે કે, જામનગર શહેરમાં ભારત માતાનું મંદિર બનાવવમાં આવશે. સાથે સાથે ખગોળીય પ્રદર્શન પણ ખૂલ્લું મુકાશે. જામનગર શહેરમાં રખડતા ઢોરનો નિકાલ કરવા માટે અન્ય મેગા સિટીનાં મોડલને અપનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવીને સેંકડો લોકો અકસ્માતનો ભોગ બને છે. જો કે, મેનિફેસ્ટોમાં નવા સીમાંકનથી ભળેલા વિસ્તારો માટે કોઈ જાહેરાત કરવા આવી નથી.

ABOUT THE AUTHOR

...view details