ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ માટે કેવી છે વ્યવસ્થા,જુઓ રિપોર્ટ..... - CORONA CASE IN JAMNAGAR

જામનગરની કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોના દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ છે. દર્દીઓની સાથે તેના સગાવ્હાલા પણ મોટી સંખ્યામાં જામનગર આવી રહ્યા છે. જો કે દર્દીઓ સાથે રહેલા સ્વજનોને મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલ પરિસરમાં બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તો અહીં જામનગર મહાનગરપાલિકા દ્વારા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓના સગાઓને રહેવા જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગર કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ માટે કેવી છે વ્યવસ્થા,જુઓ રિપોર્ટ.....
જામનગર કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ માટે કેવી છે વ્યવસ્થા,જુઓ રિપોર્ટ.....

By

Published : Apr 19, 2021, 3:33 PM IST

  • તમામ સમાજની વાડીઓ દર્દીઓના સગાઓ માટે ખુલ્લી મુકવામાં આવી
  • હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે
  • દર્દીઓના સગાઓને રહેવા જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે

જામનગરઃ શહેરમાં આવેલી તમામ સમાજની વાડીઓ કોરોનાના દર્દીઓના સગા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. તમામ સમાજમાં જમવા તેમ જ રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી આવેલા દર્દીઓના સગાને કોઈ અગવડ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

જામનગર કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ માટે કેવી છે વ્યવસ્થા,જુઓ રિપોર્ટ.....

આ પણ વાંચોઃમુખ્યપ્રધાને દર્દીઓના સગાઓને હિંમત આપતા કહ્યું- રાજ્ય સરકાર હંમેશા દર્દીઓની પડખે ઉભી છે

જામનગર મહાનગપાલિકાએ હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો

કોવિડના દર્દીના સગાવ્હાલાને તમામ સુવિધા મળી રહે તે માટે જામનગર મહાનગરપાલિકાએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. આજે પ્લાન નંબરના માધ્યમથી જે તે સમાજની વાડીમાં દર્દીના સગા આશરો લઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details