ગુજરાત

gujarat

By

Published : May 26, 2020, 12:53 PM IST

ETV Bharat / city

જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા ઉકાળાનું વિતરણ

વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીમાં વિનામૂલ્ય ઉકાળાનું છેલ્લા ઘણા સમયથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ જે પ્રકારે કોરોનાની મહામારી જોવા મળી રહી છે, ત્યારે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આ ઉકાળો કામ કરી રહ્યો છે.

Jamnagar Ayurvedic University
જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા ઉકાળાનું વિતરણ

જામનગરઃ શહેરમાં આવેલ આયુર્વેદિક યુનિવર્સિટીમાં ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉકાળો યુનિવર્સિટીમાં જ બનાવવામાં આવે છે. લોકડાઉન હોવા છતાં પણ લોકો રોજ ઉકાળો પીવા માટે આવતા હતા. હાલમાં લોકડાઉનની આંશિક છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે ઉકાળો પીનારાની સંખ્યા દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે.

જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા ઉકાળાનું વિતરણ
ઇમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરતા આ ઉકાળામાં આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ આવું કરવાથી વધતી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદિક યુનિવર્સિટીમાં બનતા ઉકાળાનું જિલ્લાભરમાં વિતરણ કરવામાં આવ્યું છે.આયુર્વેદિક યુનિવર્સિટીમાં આવતા દર્દીઓને પણ રોજ સવાર-સાંજ ઉકાળો આપવામાં આવે છે તેમજ બહારથી આવતા લોકોને પણ વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીમાં ઉકાળો અકસીર ઇલાજ બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details