ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં 302 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કોરોનાનું સંક્રમણ સતત વધતુ જાય છે. જિલ્લામાં દરરોજ અંદાજે 1500થી વધુ લોકોના કોરોના પરિક્ષણ થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગરમાં કુલ 302 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગર જિલ્લામાં દરરોજ 300 આજુબાજુ કેસો આવી રહ્યા છે. શહેરની જી.જી.હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં બેડ હાઉસફૂલ થઇ ચૂકયા છે.

By

Published : Apr 13, 2021, 8:58 PM IST

જામનગરમાં કોરોનાના વધુ 302 પોઝિટિવ કેસ નોંધાયા
જામનગરમાં કોરોનાના વધુ 302 પોઝિટિવ કેસ નોંધાયા

  • શહેરમાં 187 અને ગ્રામ્યમાં 115 પોઝિટિવ કેસ નોંધાયા
  • જામનગર જિલ્લામાં 302 પોઝિટિવ કેસ નોંધાયા
  • સરકારી ચોપડે 22 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે

જામનગરઃ શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કોરોનાનું સંક્રમણ સતત વધતુ જાય છે. જિલ્લામાં દરરોજ અંદાજે 1500થી વધુ લોકોના કોરોના પરિક્ષણ થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગરમાં કુલ 302 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગર જિલ્લામાં દરરોજ 300 આજુબાજુ કેસો આવી રહ્યા છે. શહેરની જી.જી.હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં બેડ હાઉસફૂલ થઇ ચૂકયા છે.

જામનગરમાં કોરોનાના વધુ 302 પોઝિટિવ કેસ નોંધાયા

આ પણ વાંચોઃવલસાડમાં 9 દિવસમાં 113 કોરોના કેસઃ 27 દર્દી જ સાજા થયા

અત્યાર સુધીમાં કુલ 2,75,657 સેમ્પલનું પરિક્ષણ થયું છે

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે બેકાબૂ બનેલા કોરોનાના કારણે તંત્ર ઉંધે માથે થયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં કુલ 187 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 77 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2,75,657 સેમ્પલનુ પરિક્ષણ થયું છે. જયારે અત્યાર સુધીમાં સરકારી ચોપડે 22 દર્દીઓનુ કોરોનાથી મૃત્યુ થયુ છે.

આ પણ વાંચોઃકોરોનાના કેસ વધતા કોવિડ સુપર સ્પ્રેડર વિસ્તારોમાં કડકતાનું પાલન કરવા સરકારનો આદેશ

બેકાબુ કોરોના..તંત્ર ઉધા માથે....?

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 115 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 117 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે. ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,19,450 સેમ્પલનું પરિક્ષણ થયું છે. તો સરકારી ચોપડે 16 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં જામનગર ઉપરાંત બહાર ગામથી પણ દર્દીઓ વધતા હાઉસફૂલ થઇ છે.

ABOUT THE AUTHOR

...view details