ગુજરાત

gujarat

ETV Bharat / city

જામજોધપુરમાં એબીવીપીના કાર્યકર્તાઓએ કર્યું રક્તદાન - G G Hospital

હાલમાં કોરોનાના કારણે લોકોને બ્લડની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. ત્યારે જામજોધપુરમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડની 83 બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

જામજોધપુરમાં એબીવીપીના કાર્યકર્તાઓએ 83 બોટલ રક્તદાન કર્યું
જામજોધપુરમાં એબીવીપીના કાર્યકર્તાઓએ 83 બોટલ રક્તદાન કર્યું

By

Published : Sep 30, 2020, 1:54 PM IST

જામજોધપુરઃ જામજોધપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામજોધપુર શહેરના રકતદાતાઓએ બ્લડ ડૉનેશન માટે સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ 83 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ તમામ રક્તની બોટલ જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્કને સોંપવામાં આવ્યું હતું.

જામજોધપુરમાં એબીવીપીના કાર્યકર્તાઓએ કર્યું રક્તદાન

આ રકતદાન કેમ્પમાં રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા નગર પંચાયત ઉપપ્રમુખ નરેન્દ્ર કડીવાર, તાલુકા પંચાયત પ્રમુખ ધાના બેરા, જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ હિમાંશુ મહેતા, સિદસર ઉમિયાધામના સંગઠન પ્રમુખ કૌશિક રાબડિયા, માર્કેટિંગ યાર્ડના સભ્ય જયેશ વડાલિયા, ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રમુખ ભારા ગઢવી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ રક્તદાતાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ABVP જામ જોધપુરના હોદ્દેદારો તેમ જ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

ABOUT THE AUTHOR

...view details