- બ્રાસપાર્ટનું કારખાનું બંધ કરી ગાય આધારિત ખેતીનો માર્ગ અપનાવ્યો
- ખેતરમાં છાણ, ગૌમૂત્ર, દેશી ગોળ સહિતની વસ્તુઓના ખાતર અને દવાનો ઉપયોગ
- જમીનની ગુણવત્તા સુધારવામાં પણ યુવાનનું યશસ્વી યોગદાન
જામનગર: જામનગર (jamnagar) જિલ્લાના ધ્રોલ (dhrol) તાલુકાના વાગુદડ ગામે રહેતા યુવાને પોતાનું બ્રાસપાર્ટનું કારખાનું (brass parts factory) બંધ કરી ગાય આધારિત ખેતી (cow based farming)નો માર્ગ અપનાવ્યો છે. હાલ તેના દ્વારા ગૌમૂત્ર (gaumutra) સહિતની વસ્તુઓનું ખાતર(compost) જાતે બનાવી ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે, જેથી ખેતી પાક (agriculture crops)માં દિવસેને દિવસે ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે.
પ્રાકૃતિક ખેતી અપનાવી
આજનો ખેડૂત ખેતી ક્ષેત્રે અવનવા અખતરા (new experiments in the field of agriculture) કરી સારી એવી કમાણી કરતો થયો છે તેવા સંજોગો વચ્ચે ધ્રોલ તાલુકાના વાગુદડ (vagudad) ગામે રહેતા જીગ્નેશભાઈ રણછોડભાઈ પરમાર નામના યુવાને પણ ગાય આધારિત ખેતીમાં ઝંપલાવ્યું છે. હાલ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા (chemical fertilizers and pesticides)ના ઉપયોગથી ખેતીની જમીનમા ઝેર ભળી રહ્યા છે આથી ખેતીમાં પવિત્રતાના પ્રાણ પુરવા જીજ્ઞેશભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
કારખાનાને તાળા મારી વર્ષે લાખોની આવક જતી કરી
જીજ્ઞેશભાઈએ પોતાના બ્રાસપાર્ટના કારખાનાને તાળા મારી વર્ષે લાખોની આવક જતી કરી ગાય આધારિત ખેતીની શરૂઆત કરી ખેતરમાં મગફળી, તુવેર, મગ, અડદ સહિતના પાકોનું વાવેતર કરી તેમાં ઉત્પાદન અને ગુણવત્તા વધારવા ગાયનું છાણ, ગૌમૂત્ર, લોટ, દેશી ગોળ, સહિતની વસ્તુઓનું મિશ્રણ કરી તેના દ્વારા જીવામૃત ખાતર તૈયાર કરવામાં આવે છે અને તે જ ખાતરનો જમીનમાં ઉપયોગ કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.