- વિધાનસભામાં ધોલેરાનો મુદ્દો ઉઠ્યો
- નીતિનભાઈએ કહ્યું સિંગાપુર બનશે
- 2007 પછી થયેલા કામો અંગે સવાલ કરાયો
ગાંધીનગર: ગૃહમાં ધોલેરાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, સિંગાપુર જેવું ધોલેરા આગામી સમયમાં બનશે. દુનિયામાં ક્યાંય કોઈ પ્રોજેક્ટ ન હોય તેવો પ્રોજેક્ટ અહીં બનાવવામાં આવશે. જેથી પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, 2007થી અત્યાર સુધી 15 વર્ષ થયા અને આ 15 વર્ષમાં ક્યા કામો થયા છે, તે હજુ પણ દેખાતાં નથી. નીતિનભાઈએ કહ્યું કે, રાતોરાત કશું કામ ન થાય. તેના માટે થોડી રાહ જોવી પડે. ધોલેરા મુદ્દે સામસામે રજૂઆતો થઇ હતી. જેથી ધોલેરા ગૃહમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વિધાનસભાના અન્ય સમાચાર:
ધાનાણીએ કહ્યું એરપોર્ટનું પાટિયું નહીં બાવળીયા દેખાય છે