- માં કાર્ડની મુદ્દત 31 જુલાઇ સુધી વધારવામાં આવી
- કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરાઇ જાહેરાત
ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યમાં માં કાર્ડ ધારકોને લાભ થશે. માં કાર્ડની મુદ્દત હવે 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.
માં કાર્ડની મુદ્દત 31 જુલાઈ કરાઈ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોવાથી, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને રાખીને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે માં કાર્ડની મુદ્દત આગામી 31 જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.