- રાજ્ય સરકારને રોડ ખરાબ હોવાની કુલ 30,000 ફરિયાદ મળી
- અત્યાર સુધીમાં 21,000 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો
- 13 ઑક્ટોબર સુધી રાજ્યમાં તમામ રોડ રીપેર કરવામાં આવશે
ગાંધીનગર: રાજ્યમાં ભારે વરસાદ (Rain In Gujarat)ના કારણે અનેક રોડ તૂટ્યાની સમસ્યાઓ સામે આવી હતી, ત્યારે ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર બાદ ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની સરકારમાં રોડ રીપેર કરવાનું અભિયાન (Road Repairing Campaign) શરૂ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી (Cabinet Minister Purnesh Modi) દ્વારા 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ રસ્તાઓ રીપેર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ફરિયાદ માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ નંબર પર પ્રથમ દિવસે જ 7,000 જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકારને રોડ તૂટી ગયાની 30 હજાર જેટલી ફરિયાદો પ્રાપ્ત થઇ છે.
30 હજાર ફરિયાદ, 70 ટકા કામ પૂર્ણ
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, રોડ તૂટી ગયા હોવાની 30 હજાર જેટલી ફરિયાદો મળી હતી, જેમાંથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘોષિત 13 ટકા જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેતું 30 ટકા કામ 13 ઑક્ટોબરની આસપાસ પૂરું કરી દેવામાં આવશે.
સૌથી વધુ ફરિયાદ સૌરાષ્ટ્ર ઝોનમાં