લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં - લૉકડાઉન
રાજ્યમાં લોકડાઉન દરમિયાન લોકડાઉનના કડક અમલ માટે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ અનેક ગુનાઓની નોંધણી કરવામાં આવી છે. સાથે જ એપેડેમીક એક્ટના ઉલ્લંઘન માટેની પણ અનેક પોલીસ ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર આ તમામ પોલીસ કે પાછા ખેચે તેવી વાતો વહેતી થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં રાજ્ય સરકારે આવા કોઈ પણ કેસ પાછા ખેંચવાની વિચારણા હાથ ધરી નથી.
![લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7639882-thumbnail-3x2-not-withdrawo-7204846.jpg)
લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં
ગાંધીનગર : રાજ્ય સરકાર લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસને પાછા ખેંચવાની અનેક વાતો અને ચર્ચાઓ થઇ હતી, પરંતુ આ બાબતે રાજ્ય સરકારના ઉચ્ચ અને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની કોઈ જ પ્રકારની ગણતરી તૈયારી કે આયોજન કર્યું નથી. આ સાથે જ સરકારે કોઈ પ્રકારની વિચારણા પણ નથી કરી.
લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં