ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાનો ટેસ્ટ હવે 1500 રૂપિયામાં થશે, 17 સપ્ટેમ્બરથી અમલી: નીતિન પટેલ - Prime Minister Narendra Modi

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જાહેર જનતાની માગણીને ધ્યાને લઇ રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીમાં પણ કોરોના ટેસ્ટ માટેની પરવાનગી આપી હતી. જો કે, આ ટેસ્ટ પહેલા 4500 રૂપિયામાં થતા હતા, ત્યારબાદ 2500 રૂપિયા કરવામાં આવ્યા હતા અને હવે 17 સપ્ટેમ્બરથી કોરોનાના ટેસ્ટ 1500 રૂપિયામાં થશે.

કોરોનાનો ટેસ્ટ હવે 1500 રૂપિયામાં થશે
કોરોનાનો ટેસ્ટ હવે 1500 રૂપિયામાં થશે

By

Published : Sep 16, 2020, 9:53 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના ટેસ્ટમાં જે 2500 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો, તે હવે ઘટાડીને 1500 રૂપિયા કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ખાનગી મેડિકલ અને ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવતા કોરોના ટેસ્ટના ચાર્જમાં રાજ્ય સરકારે ઘટાડાનો નિર્ણય કર્યો છે. આ ઘટાડાનો અમલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને 17 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં અમલ કરવામાં આવશે.

કોરોનાનો ટેસ્ટ હવે 1500 રૂપિયામાં થશે

ઉલ્લેખનીય છે કે, પહેલા કોરોનાના ટેસ્ટ માટે 2500 રૂપિયાનો ચાર્જ ખાનગી લેબોરેટરી દ્વારા વસૂલ કરવામાં આવતો હતો, ત્યારે હવે 17 સપ્ટેમ્બરથી 2500ની જગ્યાએ 1500 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે કોરોના ટેસ્ટમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ખાનગી લેબોરેટરીમાં કોરોના વાઇરસના ટેસ્ટિંગ માટે પરવાનગી આપી હતી, ત્યારે કોરોનાનો ટેસ્ટનો 4500 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. પરંતુ ત્યારબાદ સમયાંતરે 2500 રૂપિયા ચાર્જ કરવામાં આવ્યો અને આજે 1500 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવાની જાહેરાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details