ગુજરાત

gujarat

ETV Bharat / city

‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’નું સૂત્ર આપી મુખ્યપ્રધાને લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

રાજ્યના નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે અનેક લોકો ગભરાઈ રહ્યા છે, ત્યારે લોકો ટેસ્ટ નથી કરાવતા તે દરમિયાન રાજ્યમાં જનજાગૃતિ લાવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને લોકોને પણ સ્વયં ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

By

Published : Sep 14, 2020, 9:41 PM IST

best
ટેસ્ટ ઇઝ બેસ્ટ

ગાંધીનગરઃ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વહેલી તકે કોરોના ટેસ્ટ માટે લોકોને આગળ આવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અપીલ કરી છે. રૂપાણીએ રાજ્યના નાગરિકો-લોકોમાં ટેસ્ટિંગ પ્રત્યેનો ડર-ભય દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે તમામ પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

રૂપાણીએ ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’નું સૂત્ર આપતાં રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે, કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અને સંક્રમિત વ્યકિતઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે અને તે ટેસ્ટ પ્રત્યે કોઇએ ભય કે ડર રાખવાની જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details