ગુજરાત

gujarat

ETV Bharat / city

Bharti Ashram Controversy : ઋષિ ભારતી મહારાજે DGP સમક્ષ કરી આ માગ

મહંત હરીહરાનંદ ભારતી બાપુ ગુમ થયા તેમજ ભારતી આશ્રમના કેટલાક વિવાદને (Bharti Ashram Controversy) લઈને ચર્ચાએ હાલ ભારે જોર પકડ્યુ છે. તેને લઈને અખિલ ગૌરક્ષા સેના રાષ્ટ્રપતિ અધ્યક્ષ કાના રાજા અને કાર્યકર્તાઓ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને (Hariharananda Bharti Bapu Missing) મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં કડક તપાસની માંગ લઈને વાત કરવામાં આવી હતી.

By

Published : May 17, 2022, 11:42 AM IST

Bharti Ashram Controversy : ઋષિ ભારતી મહારાજએ DGP સમક્ષ કરી આ માંગ
Bharti Ashram Controversy : ઋષિ ભારતી મહારાજએ DGP સમક્ષ કરી આ માંગ

ગાંધીનગર : ભારતી આશ્રમમાંથી 30 એપ્રિલે મહંત હરીહરાનંદ ભારતી બાપુ (Hariharananda Bharti Bapu Missing) કોઈને કંઈ કહ્યા વગર અચાનક જ ક્યાંક જતા રહ્યા હતા. તેના કારણે આશ્રમમાં સેવકો અને સંતો ચિંતામાં મૂકાયા (Bharti Ashram Controversy) હતા. તેને લઈને અમદાવાદ પોલીસ દોડતી થઇ હતી. મળતી માહિતી મુજબ આશ્રમની મિલકત અને પ્રોપર્ટી બાબતે ભારતી બાપુના અનુયાયી હરિહર આનંદ બાપુ ગુમ થઈ ગયા હતા. તેને લઈને કેટલીક માંગ સાથે કાર્યકર્તાઓએ પોલીસ વડા આશિષ ભાટિયાને રૂબરૂ મુલાકાત કરી હતી.

ઋષિ ભારતી મહારાજએ DGP સમક્ષ કરી આ માંગ

આ પણ વાંચો :Bharti Ashram Controversy: હરિહરાનંદ બાપુ સાચા કે ઋષિ ભારતી બાપુ... મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

CID ક્રાઇમને તપાસ સોંપવાની માંગ - ત્યારે હરિહર આનંદ બાપુનો (Hariharanand Bapu) મહારાષ્ટ્રમાંથી ભાળ મળી હતી. તેને લઈને મહામંડલેશ્વર ભારતી બાપુ કે જેઓ અખિલ ગૌરક્ષા સેના રાષ્ટ્રપતિ અધ્યક્ષ કાના રાજા અને કાર્યકર્તાઓ સાથે ગઈકાલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં હરી હરી આનંદ બાપુ ગુમ થયા તે અંગેની તપાસ રાજ્યની CID ક્રાઇમને સોંપવામાં (Bharti Ashram CID Crime Investigation) આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Bharti Ashram Controversy: હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થતાં સરખેજ આશ્રમ પર કરાયા ગંભીર આક્ષેપો

કડક તપાસને લઈને માંગ - મહત્વની વાત કરવામાં આવે તો કેટલાક અસામાજિક તત્વો (Bharti Ashram Controversy) દ્વારા ફરી આનંદ મહારાજનું અપહરણ કર્યું હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. જેના કારણે અપહરણકર્તા વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. પરંતુ કયા કારણોસર આ સમગ્ર ઘટના ઘટી છે તે બાબતે પણ તપાસ (Bharti Ashram Investigation) કરવાની માંગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details