ગુજરાત

gujarat

ETV Bharat / city

જ્યાં સુધી સરકાર નહીં ઝૂકે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે, આર્મી યુનિયનની ચિમકી

ગાંધીનગરમાં નિવૃત્ત આર્મીના જવાનોએ સચિવાલયની બહાર આંદોલન (army soldiers Movement in Gandhinagar) ફરીથી શરૂ કરી દીધું છે. નિવૃત્ત આર્મી જવાનો મૃત્યુ નીપજ્યું તેને લઈને લાલ આંખ કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત આ આંદોલન ક્યાં સુધી યથાવત્ રહેશે તેના વિશે પણ કહ્યું હતું. Retired Army jawan demand, Retired Army Goes death in Gandhinagar

By

Published : Sep 14, 2022, 4:23 PM IST

Updated : Sep 14, 2022, 6:27 PM IST

જ્યાં સુધી સરકાર નહીં ઝૂકે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે, આર્મી યુનિયની ચિમકી
જ્યાં સુધી સરકાર નહીં ઝૂકે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે, આર્મી યુનિયની ચિમકી

ગાંધીનગર રાજ્યના નિવૃત્ત આર્મી જવાનો પોતાની પડતર માંગને લઈને ફરી આંદોલન (army soldiers Movement in Gandhinagar) પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક માંગણી હજુ પડતર હોવાના કારણે ગઈકાલે ગાંધીનગરના ચિલોડા સર્કલ ખાતે આર્મીના જવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે એક નિવૃત્ત આર્મી જવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જે મોડી રાત સુધી માથાકૂટના અંતે પરિવારજનોએ મૃતક નિવૃત્ત જવાનની મૃતદેહનો સ્વીકાર કર્યો હતો, ત્યારબાદ આજે સવારથી જ કુમાવતની આગેવાનીમાં સચિવાલયની બહાર આંદોલન ફરીથી શરૂ દીધું છે.

જ્યાં સુધી રાજ્ય સરકાર સામેથી નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત : નિવૃત્ત આર્મી

રાત્રીના 12 વાગ્યા સુધી ચાલી માથાકૂટ કાનજીભાઈ મોથલીયા નામના નિવૃત્ત આર્મી જવાનો મૃત્યુ નીપજ્યું હતુ. ત્યારબાદ આંદોલન કાર્યો સેક્ટર 30થી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સુધી ચાલતા આવ્યા હતા. ગાંધીનગરને પોતાના બાનમાં લીધું હતું. મહત્વની વાત કરવામાં આવે તો, રાત્રીના 12:00 વાગ્યા સુધી આ સમગ્ર માથાકૂટ ચાલી હતી અને ત્યારબાદ અંતે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો નિવૃત્ત આર્મી જવાનોના આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી કે, કાનજીભાઈ મોથલીયાનો ગાંધીનગરમાં સ્ટેચ્યુ મુકવામાં આવે. (Army jawan death in Gandhinagar)

નિવૃત્ત આર્મી જવાનનું મૃત્યુ

સરકાર અમારી સામે આવીને વાત કરેધર્મેન્દ્ર કુમાવતે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી સતત અમે વિરોધ કરી રહ્યા છે. અમારી પડતર માંગ રાજ્ય સરકાર સ્વીકારે તેની અમે માંગ કરી રહ્યા છે. પરંતુ તેમાં એક અમારા સાથીદારનું પણ દુઃખદ મૃત્યુ છે, ત્યારે હવે અમે સચિવાલયના ગેટ નંબર એકથી અમે આંદોલન શરૂ કરી દીધું છે. જ્યાં સુધી રાજ્ય સરકાર સામેથી નહીં આવે અને અમને લેખિતમાં GR નહીં કરી આપે ત્યાં સુધી આ આંદોલન યથાવત રાખવામાં આવશે. (Army movement at Secretariat gate)

AAP કોંગ્રેસના નેતાઓ પહોંચ્યાઆર્મીના જવાનો મૃત્યુ થતા વાત વાયુવેગે સમગ્ર ગુજરાતમાં પ્રસરી હતી અને તાત્કાલિક ધોરણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યાની સાધનાઓ આપી હતી. આ ઉપરાંત મોડી રાત્રે આમ આદમી પાર્ટીના નેતા અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ ઈશુદાન ગઢવી પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. Retired Army jawan demand, Jagdish Thakor in Gandhinagar agitation, isudan gadhvi Gopal Italia in Gandhinagar

Last Updated : Sep 14, 2022, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details