ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ, 13.60 લાખ મેટ્રિકટન મગફળી ખરીદવામાં આવશે, 2000 ગોડાઉનમાં તૈયારીઓ શરૂ - મગફળી રજિસ્ટ્રેશન

રાજ્ય સરકાર દ્વારા 1 ઓક્ટોબરથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.આજે રજિસ્ટ્રેશનના પ્રથમ દિવસે સવારે 8:00 થી 12 વાગ્યા સુધીમાં કુલ 2000થી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કર્યું હતું. કોવિડ ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને વધુ ભીડ ન થાય તે માટે ટોકન સિસ્ટમ આપીને રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.

આજથી મગફળી ખરીદી રજિસ્ટ્રેશન શરૂ, 13.60 લાખ મેટ્રિકટન મગફળી ખરીદવામાં આવશે, 2000 ગોડાઉનમાં તૈયારીઓ શરૂ
આજથી મગફળી ખરીદી રજિસ્ટ્રેશન શરૂ, 13.60 લાખ મેટ્રિકટન મગફળી ખરીદવામાં આવશે, 2000 ગોડાઉનમાં તૈયારીઓ શરૂ

By

Published : Oct 1, 2020, 5:26 PM IST

ગાંધીનગર: મગફળીની ખરીદી માટે શરૂ થયેલ રજિસ્ટ્રેશન બાબતે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પણ દરેક ગ્રામ્ય વિસ્તારમાં વી સી સેન્ટર મારફતે મગફળીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તેમ જ ફિઝિકલ ડોક્યુમેન્ટ લઈને રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે આઠ વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. ત્યારે બાર વાગ્યા સુધીમાં કુલ 2033 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે. જ્યારે કોવિડની એસઓપીને ધ્યાનમાં લઈને જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ ખેડૂતોની ભીડ ન થાય તે માટે ખેડૂતોને ટોકન આપીને રજિસ્ટ્રેશન માટે બોલાવવામાં આવી રહ્યાં છે.

2000 ગોડાઉનમાં તૈયારીઓ શરૂ
1 ઓક્ટોબરથી vce દ્વારા ચાર માગણીઓને લઇને આંદોલન શરૂ કર્યું છે ત્યારે અને નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે વીસીઇની ચાર માગણીઓ છે પણ ગત વર્ષના પેમેન્ટ ચૂકવાઇ ગયાં છે જ્યારે અત્યારે પણ ચૂકવણું ચાલુ છે. 9 જિલ્લાના 2100 જેટલા વીસીઇને 24 લાખનું પેમેન્ટ કરાયું છે જ્યારે બાકીના લોકોને આવતીકાલ સુધીમાં ચૂકવણી પૂર્ણ કરવામાં આવશે.
13.60 લાખ મેટ્રિકટન મગફળી ખરીદવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે સમગ્ર સિઝન દરમિયાન કુલ 13.60 લાખ મેટ્રિક ટન નો જથ્થો ખરીદવાને અત્યારે પ્રાથમિક ટાર્ગેટ આપવામાં આવ્યો છે જ્યારે મગફળીની ખરીદી બાદ 2000 જેટલા ગોડાઉનમાં મગફળી સંગ્રહ પણ કરવામાં આવશે. આ વર્ષે મગફળીની ખરીદી બાબતમાં કોઇ જ પ્રકારનું કૌભાંડ ન થાય તે માટે ત્રણ જેટલા અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે અને સમગ્ર ખરીદી સીસીટીવીના આધારે જ કરવામાં આવશે. જેથી કોઈ જ પ્રકારના ખરીદી કૌભાંડ થઈ શકે નહીં.
રાજ્યમાં આજથી મગફળી ખરીદી રજિસ્ટ્રેશન શરૂ

ABOUT THE AUTHOR

...view details