ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં કરણી સેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું - ગાંધીનગર ન્યુઝ

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રામકથા મેદાનમાં કરણી સેના દ્વારા મહારેલી યોજી મહાસભા યોજાઇ હતી. આ રેલી ચાર મુખ્ય માંગણી સાથે કરણી સેનાના સાધુ સંતો સાથે મેદાને નીકળી હતી. એટ્રોસિટી ઍક્ટમાં સુધારો, ગાયને ગૌમાતા જાહેર કરવાની માંગ, અનામતમાં ફેર વિચારણા, સહિતની માંગણીઓ સાથે કરણી સેના મેદાને આવી છે. આ ઉપરાંત દુષ્કર્મીઓને કડક સજાની માંગણી પણ કરણી સેનાએ કરી છે. કરણી સેનાની માંગને લઈને ગાંધીનગરના મામલતદારે સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું હતું.

maidan
ગાંધીનગર

By

Published : Dec 22, 2019, 8:21 PM IST

ગાંધીનગરમાં આવેલા રિલાયન્સ ચોકડી ખાતેથી કરણી સેનાએ રેલી યોજી હતી. જે શહેરના સેક્ટર11માં આવેલા રામકથા મેદાનમાં પહોંચી હતી. મેદાનમાં મોટી સંખ્યામાં સેનાના કાર્યકરો એકઠા થયા હતા. ગુજરાત કરણીસેનાના વડા રાજ શેખાવતે કહ્યુ કે, “ અમારી માંગણી રાષ્ટ્રહીતમાં છે. તમામ સમાજનું સમર્થન છે. પાટીદાર, બ્રાહ્મણ સમાજ, ચારણ સમાજ સૌનો સહકાર છે.

ગાંધીનગરમાં કરણી સેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું

રાજ્યના છેવાડાથી આવેલા લોકો રામકથા મેદાનમાં એકઠાં થઈશું અને અમે સરકારને આવેદન આપીશું. સરકારે એમની વોટબૅન્કની રાજનીતિ એમની જગ્યાએ છે. તેમજ SC-STને ન્યાય મળે તેની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ સવર્ણ સમાજ માટે કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે. સરકારને અમે રજૂઆત કરીશું તેમણે અમારી વાત સાંભળવી પડશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details