ગુજરાત

gujarat

ETV Bharat / city

ગરીબ અને મોબાઈલ ફોનથી વંચિત બાળકોને બાયસેગ અને ડી.ડી. ગિરનારના માધ્યમથી ભણાવાશે - smartphone less students will get education from DD Girnar

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિનો ઉદ્ભવ થયો ત્યારેથી શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજ્યની સરકારી ચેનલો પર પરીક્ષા દરમિયાન ટીવી શિક્ષણ શરૂ કરાવ્યું હતું. શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન ધોરણ 1થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આમ, ધોરણ 1થી 12 ના અલગ અલગ વિદ્યાર્થીઓને વિષય પ્રમાણે સરકારી ટીવી ચેનલ ડી.ડી. ગિરનાર (DD Girnar) અને બાયસેગ (BISAG) ના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

ગરીબ અને મોબાઈલ ફોનથી વંચિત બાળકોને બાયસેગ અને ડી.ડી. ગિરનારના માધ્યમથી ભણાવાશે
ગરીબ અને મોબાઈલ ફોનથી વંચિત બાળકોને બાયસેગ અને ડી.ડી. ગિરનારના માધ્યમથી ભણાવાશે

By

Published : Jun 29, 2021, 5:54 PM IST

Updated : Jun 29, 2021, 9:57 PM IST

  • અત્યાર સુધી RTE અંતર્ગત 10,000થી વધુ અરજીઓ આવી
  • રાજ્યમાં ગરીબ વિધાર્થીઓ માટે પણ ટીવી શિક્ષણ કાર્યરત
  • ડી.ડી. ગિરનાર અને બાયસેગના માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે

ગાંધીનગર : રાજ્યમાં દરેક બાળકોને શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે માટે રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ (RTE Act) અંતર્ગત એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં 10,000 થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે ડી.ડી. ગિરનાર અને બાયસેગના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે RTE માં એડમિશન મેળવતા વિદ્યાર્થીઓ માટે ડી.ડી. ગિરનાર (DD Girnar) અને બાયસેગ (BISAG) પર શિક્ષણ આપવામાં આવશે.

જેમની પાસે મોબાઈલ નથી, તેમને ઘરે જઈને ભણાવે છે શિક્ષકો

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કે એવી જગ્યાઓ પર જ્યાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસે મોબાઇલ ન હોય, તેવી પરિસ્થિતિમાં શિક્ષકો દ્વારા અમુક દિવસોના અંતરે તેમના ઘરે જઈને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવા વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા જે-તે ધોરણના પુસ્તક આપીને આવનારા દિવસોનું શિક્ષણ પણ આપી દેવામાં આવે છે અને ડી.ડી. ગિરનાર (DD Girnar) પર ક્યા ધોરણનું કઈ તારીખે અને કેટલા વાગે શિક્ષણ આપવામાં આવશે ? તેનું પણ ટાઈમટેબલ પણ આપવામાં આવે છે.

RTE Act અંતર્ગત એડમિશન મેળવવાની આવશ્યકતાઓ

ખાનગી શાળામાં બાળકોને લિંક આપવામાં આવે છે

ખાનગી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓને મોબાઈલ પર લિંક આપવામાં આવે છે. જેથી બાળક ગમે ત્યારે પોતાના સમય પ્રમાણે અભ્યાસ કરી શકે. જ્યારે ઓનલાઈન શિક્ષણ (Online Teaching) બાદ પૂરક પરીક્ષા માટેના પ્રશ્નપત્રો પણ વાલીઓને આપવામાં આવે છે. જે સમયસર પેપર લખીને શાળામાં જમા કરવાની સિસ્ટમ પણ કાર્યરત છે. આ પૂરક પરીક્ષાના આધારે બાળકોના ગુણ નક્કી કરવામાં આવે છે.

ગત વર્ષની RTEની વિગતો

ગત વર્ષે એટલે કે શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ (RTE Act) અંતર્ગત એડમિશન મેળવવા 23,851 વાલીઓએ અરજી કરી હતી. જે પૈકી 16,519 અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જ્યારે, 3302 અરજીઓ નામંજૂર અને 4040 અરજીઓ રદ્દ કરવામાં આવી હતી. આવકનો દાખલો કે કોઈ પણ પેપર વર્ક ખોટું હોવાથી આ 4040 અરજીઓ રદ્દ કરવામાં આવી હતી.

Last Updated : Jun 29, 2021, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details