- જવાનોએ મશાલ રિસીવ કરી શહીદોને સલામી આપી
- 4 મસાલ દેશમાં ફરી રહી છે
- સીમા ભવાની ટીમના બાઈક સ્ટંટ રિવરફ્રન્ટ પર નિહાળવા મળશે
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય વર્ષ નિમિતે દિલ્હીથી ડિસેમ્બર 2020માં મશાલ પ્રજ્વલિત કરી હતી. કુલ 4 મશાલ દેશ ભરમાં ફરી રહી છે. કુલ 4 મસાલ દેશમાં ફરી રહી છે. જે પૈકીની એક મસાલ આજે (સોમવારે) બીએસએફ હેડક્વોટર આવી પહોંચી હતી. જેનું સ્વાગત કરવા માટે બીએસએફ જવાનો સાથે ગુજરાત ફ્રન્ટીયર આઇજી જી.એસ.મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતે 13 દિવસમાં પાકને હરાવ્યું હતું
1971ના યુદ્ધમાં શહિદ થનાર જવાનોને શ્રદ્ધાંજલી આપવા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. યુદ્ધની શૌર્યગાથામાં ગુજરાતનું નામ પણ ઉમેરાયું છે. ગુજરાતની સીમાઓ પર તહેનાત જવાનોની ટુકડીઓએ પાકિસ્તાનનો કેટલોક ભાગ કબ્જે કર્યો હતો. પાકિસ્તાન 5 જાન્યુઆરીએ પગમાં પડી ગયું હતું. ભારતે કબ્જે મેળવેલા પ્રદેશો પર આધિપત્ય જમાવી પદ સ્થાપિત કર્યું હતું. 13 દિવસમાં પાકને હરાવ્યું હતું. સીમા સુરક્ષા બળ દ્વારા સફળતા પૂર્વક કામ પૂરું પડાયું હતું. હું એ તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છે જેમણે આ યુદ્ધમાં શહીદી વહોરી હતી.
આ પણ વાંચો : પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીન, દિકરાએ આપી મુખાગ્ની
25મી એ સાંજે સીમા ભવાનીની ટીમ દ્વારા બાઈક સ્ટંટ કરાશે
આઝાદીના 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે જેમાં BSF દ્વારા 25મી ઓગસ્ટે સાંજે 5 વાગે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સીમા ભવાનીની ટીમ દ્વારા કાર્યક્રમ યોજાશે. સીમા ભવાની ટીમ અને અન્ય ટીમ મળી બાઇક પર સ્ટંટ કરશે. આ પહેલા આ ટીમે બાઈક સ્ટંટ માટે લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું છે. તેઓ અહીં 1 કિમી સુધી કરશે સ્ટંટ. 26 જાન્યુઆરીએ રાજપથ પર પણ આ ટીમે બાઇક સ્ટંટ કર્યા હતા.