- રાજ્ય સરકારે અમદાવાદ રથયાત્રા બાબતે આપી મંજૂરી
- રથયાત્રા જે વિસ્તારમાંથી પસાર થશે ત્યાં રહેશે કરફ્યૂ
- 30,000થી વધુ પોલીસ અને 20 SRPની ટિમ તૈનાત
- નિજ મંદિરમાં ગણતરીના લોકોને જ આપવામાં આવશે પ્રવેશ
ગાંધીનગર : અમદાવાદની ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા ( 144th Jagannath RathYatra ) બાબતે આજે ગુરૂવારે સરકારે મંજૂરી આપી છે. રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ( PradipSinh Jadeja ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાને કારણે ( Corona Gujarat ) શરતોને આધીન રથયાત્રા કાઢવા બાબતે પરવાનગી આપવામાં આવી છે. જેમાં પ્રસાદી વિતરણ અને જાહેર રસોડા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે અને ગણતરીના લોકોની હાજરીમાં કરફ્યૂની વચ્ચે રથયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે રથયાત્રા
ગૃહપ્રધાન જાડેજાએ રથયાત્રા બાબતે જણાવ્યું હતું કે, 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી રથયાત્રા જ્યારે નિજ મંદિરમાંથી નીકળશે ત્યારથી જ 7 પોલીસ સ્ટેશન વિસ્તાર, જેમાં ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, સાહેરકોટડા, દરિયાપુર, શાહપુર, માધવપુરા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા કરફ્યૂ જાહેર દેવામાં આવશે, આમ કોઈપણ વ્યક્તિ રથયાત્રાના રૂટમાં ન આવે તે બાબતે પણ સમગ્ર આયોજન કરી લેવામાં આવ્યું છે. શહેરમાં જ્યાં સુધી રથયાત્રા નિજ મંદિર સુધી પરત ન આવે ત્યાં સુધી રથયાત્રાના રૂટ પર આવેલા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કરફ્યૂ અમલી રહેશે.
આ પણ વાંચો: દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?
નિજ મંદિરમાં અને રથયાત્રામાં ગણતરીના લોકો જ રહેશે હાજર
કોરનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે, ત્યારે રથયાત્રા દરમિયાન સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં લઈને નિજ મંદિર અને રથયાત્રામાં ફક્ત ગણતરીના લોકોને જ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, નિજ મંદિરમાં પ્રવેશ દરમિયાન RTPCR રિપોર્ટ અને વેક્સિન સર્ટિફિકેટ પણ ફરજીયાત રાખવામાં આવ્યું છે.
રથયાત્રામાં ક્યાં પ્રતિબંધ મુક્યાં ?
કોરોનાની પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ૧૪૪મી રથયાત્રાને મંજૂરી આપી છે, ત્યારે અમુક શરતોને આધીન આ મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રાના માર્ગ પર જે રીતે દર વર્ષે પ્રસાદી આપવામાં આવે છે તેના પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત, સરસપુરમાં મોસાળ ખાતે યોજાનારા જાહેર ભંડારામાં પણ રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, રથયાત્રામાં ભજન મંડળીઓ, અખાડાઓ અને ભક્તોને પણ પરવાનગી આપવામાં આવી નથી.
અમદાવાદ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર પોલીસનો બંદોબસ્ત
અમદાવાદની રથયાત્રા નિહાળવા શહેરની આસપાસના જિલ્લાઓના વિસ્તારોમાં જેવા કે ગાંધીનગર, મેમદાબાદ, ધોળકા ધંધુકાના રહેવાસીઓ પણ અમદાવાદમાં આવીને રથયાત્રાની મજા માણે છે, ત્યારે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોઈપણ ભક્ત આવે નહી અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત, પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડતા તમામ બ્રિજ પર ટ્રાફિક બાબતે અંકુશ મુકવામાં આવશે.
આ પણ વાંચો: jagannath rath yatra 2021 : રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી
4 થી 5 કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવાનું આયોજન