ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉદ્યોગના માલિકોએ તમામ કર્મચારીઓને 14 એપ્રિલ સુધીનો પગાર આપવો પડશે : અશ્વિનીકુમાર

કોરોના લૉક ડાઉનની સ્થિતિમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો, મજૂરો-શ્રમિકોને પણ તેમના માલિક-ઊદ્યોગ-વેપાર-સંચાલકો લોકડાઉન સમય દરમિયાન છૂટા નહીં કરી શકે તેમ જ વેતન પણ કાપી ન શકે તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

By

Published : Apr 3, 2020, 12:41 AM IST

ઉદ્યોગના માલિકોએ તમામ કર્મચારીઓને 14 એપ્રિલ સુધીનો પગાર આપવો પડશે : અશ્વિનીકુમાર
ઉદ્યોગના માલિકોએ તમામ કર્મચારીઓને 14 એપ્રિલ સુધીનો પગાર આપવો પડશે : અશ્વિનીકુમાર

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન લૉક ડાઉનની સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના નાના દૂધ ઉત્પાદકો-પશુપાલકો જેઓ કોઇ દૂધ મંડળીના સભાસદો નથી તેઓ દૂધનું વિતરણ સ્થાનિક રીતે કરી શકતાં નથી અને દૂધ બગડી જવાથી તેમને આર્થિક નુકશાન વેઠવા વારો આવે છે. નાના પશુપાલકો-દૂધ ઉત્પાદકોને આર્થિક નુકશાનથી રાહત આપવા તેમના વિશાળ હિતમાં એવો નિર્ણય કર્યો છે કે, નાના દૂધ ઉત્પાદકો જો કોઇ દૂધમંડળીના સભાસદ ન હોય તો પણ હાલની સ્થિતિમાં તેઓ પોતાનું દુધ પ્રાથમિક દૂધ સહકારી મંડળીમાં ભરાવી શકશે.

ઉદ્યોગના માલિકોએ તમામ કર્મચારીઓને 14 એપ્રિલ સુધીનો પગાર આપવો પડશે : અશ્વિનીકુમાર

અસંગઠિત ક્ષેત્રના કામદારો, મજૂરો-શ્રમિકોને પણ તેમના માલિક-ઊદ્યોગ-વેપાર-સંચાલકો લોકડાઉન સમય દરમિયાન છૂટા નહીં કરી શકે તેમ જ વેતન પણ કાપી ન શકે.નિરાધાર, દિવ્યાંગ, ગંગાસ્વરૂપા માતાબહેનો તથા રાજ્ય સરકારની સમાજ કલ્યાણ યોજનાઓ અંતર્ગત માસિક પેન્શન મેળવતા લાભાર્થીઓને લૉક ડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં આર્થિક સંકડામણ ન ભોગવવી પડે તે માટે આવા લાભાર્થીઓને એપ્રિલ માસનું માસિક પેન્શન એડવાન્સમાં આપવા અગાઉ જાહેરાત કરેલી હતી. રાજ્યમાં આવા 13.66 લાખ લાભાર્થીઓના બેન્ક ખાતામાં એપ્રિલ માસના પેન્શનની કુલ રૂ. 221 કરોડની રકમ ડાયરેકટ બેનીફિશીયરી ટ્રાન્સફર-ડી.બી.ટી.થી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી છે.

રાજ્યના 8 લાખ અંત્યોદય અને 58 લાખ PHH રેશનકાર્ડ ધારકો જેઓ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત અનાજ મેળવે છે તેમને એપ્રિલ માસનું અનાજ વિનામુલ્યે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી 1 એપ્રિલથી વિતરીત કરવાનું શરૂ થયું છે. દિવસમાં જ આવા 20 લાખથી વધુ કાર્ડધારકોએ અનાજ વિતરણનો લાભ મેળવી શકશે. હવે આગામી 4 એપ્રિલથી અન્નબ્રહ્મ યોજના અન્વયે આવું અનાજ એવા લાભાર્થી જેઓ અત્યંત ગરીબ, નિરાધાર અને કુટુંબવિહોણા છે તેમજ અન્ય પ્રદેશ પ્રાંતમાંથી ગુજરાતમાં રોજીરોટી માટે આવેલાં છે અને રેશનકાર્ડ ધરાવતાં નથી તેમને વિતરણ કરવાનું શરૂ થવાનું છે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ મેળવતાં 66 લાખ પરિવારોના અંદાજે 3.25 કરોડ એટલે કે રાજ્યના અંદાજે કુલ 50 ટકા લોકોને અનાજ મળે છે. આમ છતાં એવા કોઇ છૂટાછવાયા લાભાર્થીઓ બાકી રહી ગયા હોય અને સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક કરશે તો તેમને પણ અન્નબ્રહ્મ યોજનાનો લાભ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અપાશે.

ABOUT THE AUTHOR

...view details