- ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 32 દિવસ ચાલશે
- આ સત્રમાં 22 બેઠકો થશે
- લવ જેહાદનો કાયદો આ સત્રમાં આવશે
રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે સોમનાપથી પ્રારંભ થયો છે. લવ જેહાદને નાથવા અનેક રાજ્યની સરકારો કાયદો લાવી છે, ત્યારે ગુજરાત વિધાનસભાના આ સત્રમાં પણ લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવશે. જેને લઇને બળજબરીથી અને છેતરીને થતા આંતરધર્મીય લગ્નો અટકશે. આ ઉપરાંત ધર્મ સ્વતંત્રતાના કાયદામાં સુધારો કરીને લવ જેહાદથી વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા કાયદામાં જોગવાઇ કરવામાં આવશે.
સત્રમાં કુલ 22 કામકાજના દિવસો રહેશે
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 1 એપ્રિલ સુધી એટલે કે એકંદરે 32 દિવસ માટે આ બજેટ સત્ર ચાલશે. પ્રથમ દિવસે બે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને માધવસિંહ સોલંકીને તેમજ અગિયાર પૂર્વ ધારાસભ્યના અવસાન અંગે શોકદર્શન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બેઠક મુલતવી રહેશે.