ગુજરાત

gujarat

ETV Bharat / city

HM Amit Shah એ કર્યું ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ, કરી રહ્યાં છે અનેક યોજનાઓનો શુભારંભ - HM Amit Shah inaugurates Oxygen Plant

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ( HM Amit Shah ) સન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 500 લીટરની ક્ષમતા વાળા ઑક્સિજન પ્લાન્ટનું ( HM Amit Shah inaugurates Oxygen Plant ) લોકાર્પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ( Gandhinagar Civil Hospital ) ખાતે લોકાર્પણ કર્યું હતું. ઓપીડીની બાજુમાં સિવિલના પાછળના ભાગે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. સિવિલમાં આ પહેલાં પણ એક ઑક્સિજન પ્લાન્ટ હતો જેમાં 500 લીટરની ક્ષમતા સાથે બીજો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.

HM Amit Shah એ કર્યું ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ, કરી રહ્યાં છે અનેક યોજનાઓનો શુભારંભ
HM Amit Shah એ કર્યું ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ, કરી રહ્યાં છે અનેક યોજનાઓનો શુભારંભ

By

Published : Jul 12, 2021, 5:33 PM IST

  • ગાંધીનગર સિવિલમાં સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ
  • HM Amit Shah દ્વારા વિસ્તારના વિકાસના કાર્યક્રમો, યોજનાઓનું લોકાર્પણ કરશે
  • આ ઉપરાંત લેબોરેટરી અને કોમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ કરશે


    ગાંધીનગર: રથયાત્રાના દિવસે ગૃહપ્રધાન અમિત શાહે ( HM Amit Shah ) તેમના મતવિસ્તાર ગાંધીનગરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને 12.30 કલાકે Gandhinagar Civil Hospital માં ઓક્સિજન પ્લાન્ટ ( HM Amit Shah inaugurates Oxygen Plant ) લોકાર્પણ કર્યું હતું. સંભવિત ત્રીજી લહેરના પગલે અત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ઓક્સિજન પ્લાન્ટ દરેક જગ્યાએ વધારવામાં આવી રહ્યાં છે.
    સિવિલમાં આ પહેલાં પણ એક ઑક્સિજન પ્લાન્ટ હતો જેમાં 500 લીટરની ક્ષમતા સાથે બીજો પ્લાન્ટ નાખવામાં આવ્યો



    HM Amit Shah બપોરે મહત્વની ડ્રગ્સ લેબોરેટરીનો પ્રારંભ કરાવશે

    HM Amit Shah નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આવીને ડ્રગ્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી તમામ લેબોરેટરીનું પણ નિરીક્ષણ કરશે. નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં ખાસ એક લેબોરેટરી બનાવવામાં આવી છે. જેમાં ડ્રગ્સની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. આ લેબોરેટરીનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( HM Amit Shah ) દ્વારા આજે ઉદ્ઘાટન કરવામાં આવશે.


    સાંજે રાજભવનની મુલાકાત કરશે અને અડાલજ શારદામણી કોમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ કરશે


    સિવિલ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ઉદ્ઘાટન ઉપરાંત ગાંધીનગર અને તાલુકાઓના વિવિધ વિકાસના કાર્યક્રમો અને યોજનાઓનું HM Amit Shah લોકાર્પણ કરશે. સાંજે 3.30 કલાકે રાજભવનની મુલાકાત લેશે. જ્યાં કોરોના સેવાયજ્ઞમાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રશસ્તિપત્ર આપવાના કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યાર બાદ સ્વામિનારાયણ મંદિર અડાલજ ખાતે નિર્મિત શારદામણિ કોમ્યુનિટી સેન્ટર લોકાર્પણ કરશે.

    આ પણ વાંચોઃ Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, કરોડોના ખર્ચે વિકાસના કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ABOUT THE AUTHOR

...view details