- કોરોનાકાળમાં રાજ્યના આરોગ્ય વિભાગના મોટા સમાચાર
- આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી
- કેન્દ્ર સરકારે જયંતિ રવિની કરી બદલી
ગાંધીનગર: રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની કેન્દ્ર સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. જયંતી રવિને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. લાંબા સમયની અટકળો બાદ અંતે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના મહામારીના સેકન્ડ વેવમાં મિસ મેનેજમેન્ટનો ટોપલો જયંતી રવિ પર ઢોળીને તેમને ટાઢા પાણીએ કાઢવામાં આવ્યા હોવાનું પણ સ્વર્ણિમ સંકૂલના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ 1 એપ્રિલથી 45થી 59 વર્ષના લોકોને રસી આપવાનું શરૂ કરાશે: જયંતિ રવિ
2 મહિનાથી બદલીની વાતો ચાલી રહી હતી
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિની બદલીના ભણકારા ગત 2 માસથી ચર્ચાઈ રહ્યા હતા. જ્યંતિ રવિએ પોતે હવે તેમના માદરે વતનમાં સેવા આપવાનું મન બનાવીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું ધ્યાન દોર્યું હતું. જો કે, જયંતિ રવિ પોંડીચેરીના મુખ્ય સચિવ બનાવાશે તેવી ચર્ચા હતી, પરંતુ તેના બદલે તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. જો કે, તેમને આ પ્રકારનું ટ્રાન્સફર કેમ આપવામાં આવ્યું છે તેના પર અનેક ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર તરફથી સૂચના મળતાં જ રાજ્ય સરકારે જયંતિ રવિને રાજ્યની સેવામાંથી છૂટાં કરવા માટેની ઔપચારિકતા આરંભી દેવાઈ હતી. જેના પગલે તેમની બદલી કરાઈ હોવાની વાતો વહેતી થઈ છે, તો ક્યાંય ચર્ચાઇ રહ્યું છે કે, જ્યંતિ રવિએ સરકાર સામે પ્રસ્તાવ મૂકીને સ્વૈચ્છિક બદલીની માગ કરી હતી