- હાઈકોર્ટે રાજ્ય સરકારને અનેક બબાતે કરી ટકોર
- રાજ્યમા પરીસ્થિતિને લઈને કરવામાં આવી હતી સુનવણી
- રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોર્ડીનેશનનો અભાવ
ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો સુનવણી શરુ કરવામાં આવી હતી. સરકારના આયોજનના ભાગરૂપે રજૂકરાયેલા સૌગંદનામાની સામે સિનિયર વકીલોએ રજુવાત કરી. સિનિયર વકિલ પર્સી કાવીનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે સરકાર પાસે આયોજન નથી અને લીડરશિપનો અભાવ છે. લીડરશીપ એવી જોઈએ કે જે આગામી સમયની સ્થિતિને સમજી પગલાં લઇ શકે, પણ એવા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
સરકાર માત્ર પેચવર્કનું કામ કરે છે.
સિનિયર એડવોકેટ પર્સી કાવીનાએ કોર્ટમાં રજુવાત કરી હતી કે સરકાર માહિતી આપવામાં માત્ર પેચવર્કનું કામ કરી રહી છે. સુનવણી દરમિયાન જો કોઈ પ્રશ્ન થાય તો સરકાર માત્ર એ જ માહિતી આપે છે તેમણે આગળ જણાવ્યું હતું કે રિયલ ટાઈમ ઉપર માત્ર બેડની જ નહીં પણ તમામ માહિતી ડેશબોર્ડ ઉપર મુકાવવી જોઈએ. માત્ર કેટલા બેડ ખાલી એના કરતા ઓક્સિજનના બેડ, વેન્ટિલેટરના બેડની પણ માહિતી હોવી જોઈએ. ઘણી જગ્યાએ 25 બેડ છે પણ ત્યાં માત્ર બેડ છે. જ્યાં કોઈ MBBS ડોક્ટર નથી. સ્ટાફ નથી. માહિતી એટલે મેડિકલ સ્ટાફ, બેડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમામ માહિતી ઉપલ્બધ હોવી જોઈએ.
રેમડેસીવીરની વ્યવસ્થાને લઇ કરાયા પ્રશ્નો
એડવોકેટ મિહિર ઠાકોરે જણાવ્યું કે કોઈ પણ દવા સમયે મળવી જરૂરી છે. હાલ રેમડેસીવીરનો આજે ઓર્ડર કર્યો તો બીજા દિવસે દવા મળે છે. બીજી તરફ એડવોકેટ પર્સી કાવીનાએ રજુવાત કરી હતી કે દર્દીઓને જયારે ડોક્ટર રેમડેસીવીર દવાની માંગ કરે છે તેઓ ગમે ત્યાથી વ્યવસ્થા કરે છે. અને પોલીસ તેમને બ્લેક માર્કેટિંગમાં પકડે છે. તેમના ઉપર FIR કરે છે.
ટેસ્ટિંગના ઘટાડા સામે સરકારનો હાઇકોર્ટમાં જવાબ
કોરોના સુઓમોટો સુનવણી દરમિયાન સિનિયર એડવોકેટ પર્સી કાવીનાએ ટેસ્ટિંગમાં ઘટાડાને લઇ કરેલા પ્રશ્નના જવાબમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કર્યું કે કદાચ લોકો જ ઓછી સંખ્યામાં ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. અમે ટેસ્ટિંગમાં ઘટાડો કર્યો નથી.
અમને માત્ર ઓન પેપર વાતવિકતા જાણવામાં રસ
ગુજરાત હાઇકોર્ટે સરકારને ગ્રામ્ય વિસ્તારોમાં કઈ રીતની તૈયારીઓ કરી રહી છે. શું પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ છે. સરકારે જિલ્લાઓમાં કઈ રીતનું ઇન્ટ્રસ્ટ્રક્ચર પૂરું પાડ્યું તેની વાસ્તવિક સ્થિતિ જણાવે. શું આ બધુ માત્ર કાગળ ઉપર જ છે? કોર્ટના આ પ્રશ્નનો જવાબ આવતા એડવોકેટ જનરલે જણાવ્યું કે હાલ 26 યુનિવર્સીટીમાંથી 15 યુનિવર્સીટી RT-PCR ટેસ્ટ કરી રહી છે. 89 RT-PCR ટેસ્ટિંગ કામ કરી રહ્યા છે.
ગામડાઓમાં દરરોજ 3-4 લોકો મરી રહ્યા છે. - ગુજરાત હાઇકોર્ટ
જસ્ટિસ ભાર્ગવે સરકારને જણાવ્યું રોજ 3-4 લોકો મરી રહ્યા છે. ડેટા સમસ્યાનું સમાધાન નથી. જમીની વાસ્તવિકતા વધુ મહત્વ ધરાવે છે. ગ્રામ્ય લોકોમાં તેમના આરોગ્યને લઇ, કોરોના લક્ષણોને લઇ જાગૃતિ હોવી જોઈએ