ગુજરાત

gujarat

By

Published : Sep 22, 2021, 9:22 PM IST

ETV Bharat / city

Gujarat corona update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 કેસ નોંધાયા, 20 લોકોને રજા અપાઈ

કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં 25 થી પણ ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ કોર્પોરેશનમાં એમ કોરોનાના સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાઓમાં પણ કેસ નહિવાત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

Gujarat corona update
Gujarat corona update

  • સમગ્ર રાજ્યમાં ફક્ત 4 જ કોર્પોરેશન અને 5 જિલ્લામાં કેસ
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
  • અમદાવાદમાં 2, બરોડા 2, સુરતમાં 5 અને ભાવનગર 2 કેસ નોંધાયા

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે બાદ હવે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં કેસ ઓછા થઈ રહ્યા છે, કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી છે, ત્યારે સપ્ટેમ્બર માસની 22 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, બરોડા, સુરત અને ભાવનગરમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 5 જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે, સુરત, બરોડા અને અમદાવાદ અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા અને 2 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
આજે 2,95,854 નાગરીકો વેક્સિન અપાઈ

22 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 2,95,854 ને કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 95,898 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 1,10,644 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 5,73,55,738 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 140 પણ નીચે

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 133 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 03 વેન્ટિલેટર પર અને 130 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,556 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details