ગુજરાત

gujarat

By

Published : Dec 9, 2020, 10:29 PM IST

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં 1318 પોઝિટિવ કેસ નોંધાયા, 13ના મોત

દિવાળીના તહેવારો દરમિયાન જાહેર જનતાની બેદરકારી અને સોશિયલ ડિસ્ટન્સના અભાવને કારણે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે. દિવાળી બાદ અમદાવાદમાં રોજના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હતા. આજે ફરી એકવાર અમદાવાદમાં 300થી નીચા કેસ એટલે કે, 269 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ગત 24 કલાકમાં 1318 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 75 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને કુલ એક્ટિવ કેસ 14,027 થયા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • 24 કલાકમાં 1318 પોઝિટિવ કેસ નોંધાયા
  • અમદાવાદ માં સૌથી વધુ 269 કેસો નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં દિવાળી પહેલા કોરોના વાઈરસના આંકડામાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો. અચાનક દિવાળીના તહેવાર બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં દિવાળી બાદ રોજના 300થી વધુ કેસ સામે આવી રહ્યા હતા. આજે પંદર દિવસ બાદ અમદાવાદ શહેરમાં 269 પોઝિટિવ કેસો નોંધાયા છે અને 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1318 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટ

રિકવરી રેટમાં વધારો નોંધાયો

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 2,22,811 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 1550 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 2,04,661 દર્દીઓએ કોરોનાને માત આપીને છે. ગત અઠવાડિયામાં ગુજરાતનો રિકવરી રેટ 91.26 ટકા થયો હતો જે વધીને આજે 91.85 ટકા થયો છે.

ક્યા શહેરમાં કેટલા મોત

સુરત 02
અમદાવાદ 08
અમરેલી 01
બનાસકાંઠા 01
રાજકોટ 01



રાજ્યમાં 5.54 લાખ લોકો કોરેન્ટાઈન

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19ના કેસની યાદી પ્રમાણે 9 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં 24 કલાકમાં 1318 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 13 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 4123 લોકોના મોત થયા છે. જ્યારે આજની સ્થિતિ મુજબ 5,54,993 વ્યક્તિઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે 5,54,858 લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

933.24 પ્રતિ મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 60,661 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે. જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 933.24 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા જાય છે.

ABOUT THE AUTHOR

...view details