ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1,343 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,41,398 થઇ છે. આ સાથે જ 1,304 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
24 કલાકમાં કોરોનાના નવા કેસ
ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1,343 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,41,398 થઇ છે.
24 કલાકમાં ડિસ્ચાર્જની સંખ્યા
1,304 દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 1,21,119 થઇ છે. જેથી ગુજરાતનો કોરોના રિકવરી રેટ 85.66 ટકા થયો છે.