ગાંધીનગર:વિધાનસભામાં ગૃહમાં આર્સેલર મિત્તલ ગ્રૂપને જમીન માંગણી, દ્વારકા અને જામનગરમાં પાણીને હવા પ્રદૂષણ, સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત કેટલી રકમ માગણી કરવામાં આવી જેવા વિવિધ સવાલોના જવાબ લેખિતમાં માંગવામાં આવ્યા હતાં.
આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા જમીનની કેટલી માંગણીઓ પડતર -જંબુસરના કૉંગ્રેસ ધારાસભ્ય(Congress MLA from Jambusar) સંજય સોલંકીએ વિધાનસભામાં વનપ્રધાન(Minister of Forests in Assembly) કિરીટસિંહ રાણાને પ્રશ્ન પૂછ્યો હતો કે આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા વન ખાતાની ક્યાં સ્થળે અને કેટલી જમીન મેળવવાની માટેની માંગણીઓ પડતર પડી રહી છે. ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે આર્સેલર મિત્તલ ગ્રૂપ દ્વારા વન ધારા 1980 હેઠળ ભારત સરકારની મંજૂરી(Approval of Government of India) મેળવવા માટેની હજીરા ખાતે 178.76 હેકટર જમીનના ડાયવર્ઝન માટેની બે દરખાસ્તો પડતર પડી રહી છે. તેવો ગૃહમાં જવાબ લેખિત જવાબ આપવામાં આવ્યો હતો.
જામનગર અને દ્વારકા જિલ્લામાં પ્રદૂષણ અંગે કેટલી ફરિયાદ દાખલ થઈ :દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં પાણીનું પ્રદુષણ અંગે વિક્રમ માડમ ગૃહમાં પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણાને પ્રદૂષણ અંગેની કેટલી ફરિયાદ(How many complaints about pollution) મળી તે માટે લેખિતમાં જવાબ માંગ્યો હતો. જેમાં જવાબ આપતા જણાવ્યું હતું કે MRSPL લિમિટેડ પર 3, દિગ્વિજય સિમેન્ટ પર 2, મેં.ન્યારા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ 1, જામનગર કોમ્પ્લેઇન પર 1 ટાટા કેમિકલ્સ અને રિલાયન્સ ઇન્દ્રસ્ટ્રીઝ પર 1 ફરિયાદોની અરજી સરકારને મળી હતી જે પર્યાવરણ પ્રધાનને ગૃહમાં લેખિતમાં જવાબ આપ્યો હતો.