ગુજરાત

gujarat

By

Published : Sep 10, 2020, 3:32 PM IST

ETV Bharat / city

લોકડાઉનમાં આર્થિક રીતે સંકડામણના, સુશાંતના મોત બાદ સૌથી વધુ ડિપ્રેશનના કેસ સામે આવ્યાં

ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં પાંચ વર્ષ પહેલા જીવન આસ્થા હેલ્પ લાઇનની શરૂઆત કરવામાં આવી હતી. આ હેલ્પલાઇનનો ઉપયોગ જીવનથી કંટાળીને દુનિયાને અલવિદા કરવા માગતાં હોય તેવા લોકો સંપર્ક કરતાં હોય છે અને હેલ્પલાઇનમાં બેસેલા કાઉન્સિલરો તેમનું કાઉન્સિલિંગ કરીને જીવન બચાવવાની કામગીરી કરી રહ્યાં છે. આજે રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ અધિક્ષકની રાહબરી હેઠળ પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

લોકડાઉનમાં આર્થિક રીતે સંકડામણના, સુશાંતના મોત બાદ સૌથી વધુ ડિપ્રેશનના કેસ સામે આવ્યાં
લોકડાઉનમાં આર્થિક રીતે સંકડામણના, સુશાંતના મોત બાદ સૌથી વધુ ડિપ્રેશનના કેસ સામે આવ્યાં

ગાંધીનગરઃ રાજ્યમાં શરૂ કરવામાં આવેલી જીવન આસ્થા હેલ્પલાઇન આજે સીમાચિન્હરૂપ કામગીરી કરી રહી છે. પાંચ વર્ષ દરમિયાન આ હેલ્પલાઇનનો 70 હજાર લોકોએ ઉપયોગ કર્યો છે. જેમાં મોતને આરે ઉભાં રહેલાં 70 જેટલા લોકોને આ કાઉન્સિલરોએ સ્થળ ઉપરથી પોલીસની પીસીઆર વાન મોકલીને બચાવી લીધાં હતાં તે મોટી સફળતા છે. પાંચ વર્ષની ઉજવણીમાં મનોચિકિત્સકો અને ગાંધીનગરની સેવાભાવી સંસ્થાના લોકોને પણ બોલાવવામાં આવ્યાં હતાં. તે સમયે આગામી સમયમાં આત્મહત્યા નિવારવા માટે વધુ શું કરવું જોઈએ ? તેના ઉપર મનોમંથન પણ કરવામાં આવ્યું હતું.

લોકડાઉનમાં આર્થિક રીતે સંકડામણના, સુશાંતના મોત બાદ સૌથી વધુ ડિપ્રેશનના કેસ સામે આવ્યાં
આ દરમિયાન કાર્યક્રમમાં હાજર રહેલા તબીબો અને ચિકિત્સકોએ પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે, આપણે હજારો માઈલ દૂર બેઠેલા વ્યક્તિની ખબર અંતર પૂછતા હોય છે. પરંતુ આપણી પાસે જ રહેલાં માણસની હાલત કેવી છે. તેના ઉપર ધ્યાન આપતાં નથી. આત્મહત્યા કરનાર વ્યક્તિના વિચારો સતત બદલાતાં રહે છે. જેને આત્મહત્યાનો વિચાર કરી લીધો છે, તે વ્યક્તિને ઓળખવો હોય તો તેના હાવભાવ પરથી ઓળખી શકાય છે. ત્યારે આવા લોકોને આપણે આત્મહત્યા કરતાં બચાવવા જોઈએ.લોકડાઉનમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. લોકોને રોજગારી છીનવાઈ ગઈ છે, તેવા સમયે શરૂઆતના બે લોકડાઉનમાં આર્થિક રીતે તૂટી ગયેલાં હોય તેવા લોકોના સૌથી વધુ ફોન મળતાં હતાં. જ્યારે બોલિવૂડ એક્ટર સુશાંતસિંહની આત્મહત્યા બાદ જીવન આસ્થાનો હેલ્પલાઈને વધુ કોલ મળ્યાં હતાં. રાજ્યમાં ગત 2019ના વર્ષમાં સાત હજાર જેટલા લોકોએ આત્મહત્યા કરી છે. ત્યારે આ એક ગંભીર બાબત કહી શકાય છે, જેને સમાજમાં રહેલા દરેક લોકોએ દૂર કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details