- રાજ્યનાં પોલીસ આંદોલનને મોટી બ્રેક, સરકારે બનાવી 5 સભ્યોની કમિટી
- કમિટીનાં એહવાલ બાદ જ હવે તમામ મુદ્દાઓનું નિરાકરણ થશે
- હવે કોઈ પણ પોલીસકર્મીઓ કે પરિવારજનો નહિ કરી શકે વિરોધ
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી પોલીસ કર્મચારીઓના પરિવારજનો દ્વારા ગ્રેડ-પે બાબત સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લઇને આંદોલન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે છેલ્લા બે દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પરિવારજનો દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરી હતી કે પોલીસ કર્મચારીઓની માંગણીઓ અને પ્રશ્નોને ધ્યાનમાં લઈને એક ખાસ કમિટીની રચનાં કરવામાં આવી છે. ત્યારે આ કમિટીનાં રિપોર્ટ બાદ તમામ પ્રશ્નોનાં નિરાકરણ કરવામાં આવશે.
કમિટીમાં કોણ કોણ રહેશે સભ્ય
DGP આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદને સંબોધતા પાંચ અધિકારીઓની એક ખાસ કમિટીની રચના કરી હોવાની જાહેરાત કરી હતી. ત્યારે આ કમિટીમાં પોલીસ કર્મચારીઓના પરિવારજનો અથવા તો આંદોલનકારીઓને જગ્યા આપવામાં આવી નથી અને તેમને સભ્ય બનાવવાની કોઈ જરૂરત નહીં હોવાનું નિવેદન પણ કર્યું હતું. ત્યારે સમિતિમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક વહીવટી વિભાગનાં IPS અધિકારી બ્રજેશ કુમાર ઝા ની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યાર બાદ નાણાં વિભાગના સચિવ, સામાન્ય વહીવટી વિભાગનાં નાયબ, સચિવગૃહ વિભાગનાં નાયબ સચિવ અને BJP ઓફિસનાં મુખ્ય નાણા વિભાગનાં અધિકારીની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
2 મહિનામાં રજૂ કરવામાં આવશે રિપોર્ટ